RBIની ગાઇડલાઇન ભંગ બદલ HDFC બેંકને ઝાટકી

RBIની ગાઇડલાઇન ભંગ બદલ HDFC બેંકને ઝાટકી

રાજકોટમાં વકીલાત કરતા હુશૈનભાઇ અબ્બાસભાઇ ભારમલ તા.20-8-2022ના રોજ યાજ્ઞિક રોડ પર આવેલી એચડીએફસી બેંકમાં રૂ.2 હજારની એક અને રૂ.100ના દરની એક નોટ બદલાવવા માટે ગયા હતા. ત્યારે બેંક કેશિયરે આ નોટ ચાલશે નહિ તેમ કહી ચલણી નોટ પરત કરી દીધી હતી. જેથી હુશૈનભાઇ બ્રાંચ મેનેજર જિગર જોશી પાસે જઇ આરબીઆઇની ગાઇડલાઇન અંગેની રજૂઆત કરી હતી.

ત્યારે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી પોતાને બેંકમાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી મૂકયા હતા. જેથી બેંકના મેનેજર અને કેશિયરના મનઘડંત વર્તનથી એડવોકેટ ભારમલે એડવોકેટ શુભમ પી.દાવડા મારફત ગ્રાહક સુરક્ષા ધારા-2019ની કલમ 11 તેમજ 1(42) મુજબ રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ ફોરમે આરબીઆઇ ગાઇડલાઇનનું પાલન ન કરવું એ અયોગ્ય વેપાર નીતિરીતિ સમાન છે. બેંક તેના ગ્રાહક જ નહિ કોઇ પણ વ્યક્તિને ચલણી નોટ કે સિક્કા બદલી આપવાનો ઇનકાર ન કરી શકે તેમ કહી એચડીએફસી બેંકને એડવોકેટ ભારમલની નોટ બદલી આપવા હુકમ કર્યો છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow