RBIની ગાઇડલાઇન ભંગ બદલ HDFC બેંકને ઝાટકી

RBIની ગાઇડલાઇન ભંગ બદલ HDFC બેંકને ઝાટકી

રાજકોટમાં વકીલાત કરતા હુશૈનભાઇ અબ્બાસભાઇ ભારમલ તા.20-8-2022ના રોજ યાજ્ઞિક રોડ પર આવેલી એચડીએફસી બેંકમાં રૂ.2 હજારની એક અને રૂ.100ના દરની એક નોટ બદલાવવા માટે ગયા હતા. ત્યારે બેંક કેશિયરે આ નોટ ચાલશે નહિ તેમ કહી ચલણી નોટ પરત કરી દીધી હતી. જેથી હુશૈનભાઇ બ્રાંચ મેનેજર જિગર જોશી પાસે જઇ આરબીઆઇની ગાઇડલાઇન અંગેની રજૂઆત કરી હતી.

ત્યારે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી પોતાને બેંકમાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી મૂકયા હતા. જેથી બેંકના મેનેજર અને કેશિયરના મનઘડંત વર્તનથી એડવોકેટ ભારમલે એડવોકેટ શુભમ પી.દાવડા મારફત ગ્રાહક સુરક્ષા ધારા-2019ની કલમ 11 તેમજ 1(42) મુજબ રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ ફોરમે આરબીઆઇ ગાઇડલાઇનનું પાલન ન કરવું એ અયોગ્ય વેપાર નીતિરીતિ સમાન છે. બેંક તેના ગ્રાહક જ નહિ કોઇ પણ વ્યક્તિને ચલણી નોટ કે સિક્કા બદલી આપવાનો ઇનકાર ન કરી શકે તેમ કહી એચડીએફસી બેંકને એડવોકેટ ભારમલની નોટ બદલી આપવા હુકમ કર્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow