ઈરાનની ઉશ્કેરણી પર હમાશે કર્યો હુમલો!

ઈરાનની ઉશ્કેરણી પર હમાશે કર્યો હુમલો!

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન, યુદ્ધ પર વિવિધ દેશોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. એક તરફ પશ્ચિમી દેશો ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે તો બીજી તરફ ઈરાન અને કતાર જેવા આરબ દેશો પેલેસ્ટાઈનની સાથે ઉભા છે. તે જ સમયે, ચીન અને ઇજિપ્ત જેવા કેટલાક દેશો છે જેણે યુદ્ધમાં તટસ્થ વલણ અપનાવ્યું છે.

અમેરિકન મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલે હમાસ અને હિઝબુલ્લાના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે ઈરાની સુરક્ષા અધિકારીઓએ ઈઝરાયલ પર હુમલાની યોજનામાં હમાસને મદદ કરી હતી. આ પછી, તેણે 2 ઓક્ટોબરના રોજ બેરૂતમાં એક બેઠકમાં હુમલા માટે લીલી ઝંડી આપી હતી.

WSJ અનુસાર, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના અધિકારીઓ ઓગસ્ટથી હમાસ સાથે મળીને 1973 પછી જમીન, હવા અને દરિયાઈ માર્ગે ઈઝરાયલ પરના સૌથી મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ ઈરાનમાં લોકોએ પણ ઉજવણી કરી હતી. લોકો ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. જો કે ઈરાને આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેણે કહ્યું છે કે હમાસના હુમલામાં તેની કોઈ ભૂમિકા નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનાઈના સલાહકારે કહ્યું કે અમે ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના હુમલાનું સમર્થન કરીએ છીએ.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું- પેલેસ્ટાઈન ચોક્કસપણે પોતાના હિતોની રક્ષા કરશે. ઈઝરાયલ આ ક્ષેત્રના અન્ય દેશોની સુરક્ષા માટે ખતરો ઉભો કરી રહ્યું છે અને તેના માટે તેને જવાબદાર ગણવામાં આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow