ગુજરાતની ધરતી પરથી ખડગેના BJP પર પ્રહાર

ગુજરાતની ધરતી પરથી ખડગેના BJP પર પ્રહાર

રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે. આણંદ બાદ આજથી જૂનાગઢના પ્રેરણાધામમાં ગુજરાતના શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે પ્રારંભ કરાયો.

ગુજરાત પધારેલા ખડગેએ ભાજપના નેતાઓનું નામ લીધા વિના સંવિધાન મુદ્દે પ્રહાર કર્યા. ખડગેએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના કારણે દેશને આઝાદી મળી અને એના કારણે આજે દેશ એક છે, જે બંને અમારા માટે પૂજનીય છે, પરંતુ અહીંથી અન્ય બે લોકો છે, જેઓ સંવિધાનને સુરક્ષિત રાખવા નથી માગતા. ગાંધી અને સરદારે જે કામ કર્યું છે એનો નાશ કરવા માગે છે.

જૂનાગઢના પ્રેરણાધામમાં આજથી શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં શહેર-જિલ્લાના 41 પ્રમુખો ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષી નેતા તુષાર ચૌધરી, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. પ્રથમ દિવસે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે હાજરી આપી હતી.

12 અને 17 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી હાજરી આપશે જૂનાગઢમાં શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપવા ગુજરાત પધારશે. 12 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી શિબિરમાં ઉપસ્થિત શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow