9% દરે વિકસી ભારત 20 વર્ષમાં વિકસિત દેશ બનશે : રંગરાજન

9% દરે વિકસી ભારત 20 વર્ષમાં વિકસિત દેશ બનશે : રંગરાજન

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર સી. રંગરાજને કહ્યું છે કે જો દેશનો આર્થિક વૃદ્ધિદર 8-9 ટકા રહેશે તો 20 વર્ષમાં ભારતને વિકસિત દેશનો દરજ્જો મળી જશે. તેમણે કહ્યું હતું કે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે આ મજબૂત વિકાસદરને જાળવી રાખવાની જરૂર રહેશે.

રંગરાજને આઇસીએફએઆઇ ફાઉન્ડેશન ફોર હાયર એજ્યુકેશનના દીક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ પાંચ લાખ કરોડ ડોલર સુધી લઇ જવાનું મોટું કામ છે. જોકે દેશની પ્રતિ વ્યક્તિની આવક 3472 ડોલર (આશરે 2.86 લાખ રૂપિયા) હશે દેશ મધ્યમ આવકવાળા દેશ તરીકે જ ગણાશે.

રંગરાજને કહ્યું હતું કે ભારતને ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશ બનવામાં વધુ બે વર્ષનો સમય લાગશે. વિકસિત દેશ બનવા માટે ભારતની પ્રતિ વ્યક્તિ આવક ઓછામાં ઓછી 13,205 ડોલર અથવા તો આશરે 11 લાખ રૂપિયા હોવી જોઇએ. આ સિદ્ધિ સુધી પહોંચવા માટે દેશને બે દશકથી વધુ સમય સુધી આઠથી લઇને નવ ટકા સુધીનો મજબૂત વૃદ્ધિદર જાળવવો પડશે.

રંગરાજને કહ્યું હતું કે કુલ ઉત્પાદનના હિસાબથી જોવામાં આવે તો ભારત હાલમાં દુનિયામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના રેન્કિંગ મુજબ પ્રતિ વ્યક્તિ આવકના મામલે ભારત 197 દેશોમાં 142મા સ્થાને છે. તેમણે નીતિ નિર્માતાઓને અર્થવ્યવસ્થાના વૃદ્ધિદરની ગતિને વધારવા પર ધ્યાન આપવા કહ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow