મગફળીના ભાવમાં એક દિવસમાં 116નો ઘટાડો

મગફળીના ભાવમાં એક દિવસમાં 116નો ઘટાડો

બેડી યાર્ડમાં ગુરુવારે એક જ દિવસમાં મગફળીના ભાવમાં રૂ.140નું ગાબડું જોવા મળ્યું હતું. રૂ.140નો ભાવઘટાડો આવતા મગફળીનો ભાવ રૂ.1540 થયો હતો. જ્યારે કપાસે રૂ.1700ની સપાટી કુદાવી હતી. સીંગદાણામાં 90 ક્વિન્ટલ આવક થઈ હતી. વેપારીઓના જણાવ્યાનુસાર હજુ ભાવ આ મુજબ ટકેલા રહે તેવી સંભાવના છે. જોકે હાલમાં મગફળીમાં ડિમાન્ડ ઓછી છે. અને તેલ બજારમાં પણ રાબેતા મુજબના કામકાજ નોંધાઈ રહ્યા છે. એટલે ભાવમાં કોઈ મોટી ઊથલપાથલ જોવા મળશે નહિ. તલના ભાવ આ સિઝનમાં ઓલટાઈમ હાઈ રહ્યા હતા. જોકે ભાવ અત્યારે પણ રૂ.3600ની સપાટી ઉપર રહ્યા છે.

બુધવારે કપાસની આવક 4700 ક્વિન્ટલ નોંધાઈ હતી. એક મણનો ભાવ રૂ.1605થી લઈને રૂ.1714 સુધી બોલાયો હતો. જોકે ફેબ્રુઆરીના અંતે મહિનામાં ભાવવધારો થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ વખતે કપાસનો ભાવ રૂ.2 હજારે પહોંચવાની આશા હતી, પરંતુ હજુ સુધી ભાવ પહોંચ્યા નથી. જેને કારણે અનેક ખેડૂતોએ કપાસ વેચવાનું ટાળ્યું છે. જેમ-જેમ ભાવમાં વધારો થશે તેમ તેમ આવકમાં વધારો થશે. તેવી આશા વેપારીઓમાં સેવાઈ રહી છે. હાલ મગફળીમાં બારમાસી તેલ ભરવાની સિઝન હવે પૂર્ણતાના આરે છે. ત્યારે હવે ખરીદી પણ ઓછી રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow