મહેસાણાથી મહુડી દર્શને જતાં GPSCના અધિકારીનું ગાડી પલટતાં મોત, 4ને ઇજા

મહેસાણાથી મહુડી દર્શને જતાં GPSCના અધિકારીનું ગાડી પલટતાં મોત, 4ને ઇજા

મહેસાણામાં રહેતા અને દાહોદના મોટી ખેરજ ગામના વતની ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળમાં ડેપ્યુટી ડાયરેક્ટર સુરેન્દ્રસિંહ ખપેડ પરિવાર સાથે રવિવારની રજા હોઇ ગાડી લઇ મહુડી દર્શને જવા નીકળ્યા હતા, ત્યારે રામપુરા ચોકડી અને દેવરાસણ વચ્ચે તેમની ગાડી રોડની સાઇડમાં કિલોમીટરના પથ્થર સાથે ટકરાતાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં સુરેન્દ્રસિંહ ખપેડનું મોત થયું હતું. જ્યારે અન્ય ચારેક જણાને ઇજા થતાં સિવિલમા લવાયા હતા.

મહેસાણા શહેરમાં વિસનગર લીંક રોડ પર તિરૂપતિ હર્ષ રેસીડેન્સીમાં રહેતા સુરેન્દ્રભાઇ ખપેડ રવિવારે સવારે તેમના મિત્રની ગાડી (જીજે 09 બીએફ 3205) લઇ પુત્ર યુમિત, તેમના પિતા, માતા, બહેન સહિતની સાથે મહુડી દર્શન કરવા નીકળ્યા હતા.

ગાડી સુરેન્દ્રભાઇ ચલાવતા હતા. સવારે 11.30 વાગે રામપુરા ચોકડીથી દેવરાસણ તરફના રોડ ઉપર ગાડી રોડ સાઇડે કિલોમીટર દર્શાવતા પથ્થર સાથે ટકરાઇને પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ઘાયલ તમામને 108માં મહેસાણા સિવિલ હોસ્પિટલ લવાયા હતા.

જ્યાં તબીબે સુરેન્દ્રસિંહ ભગવાનભાઇ ખપેડ (45)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભગવાનભાઇ વિરસંગભાઇ ખપેડને વધુ સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર યુમીતકુમાર ખપેડે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow