કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપી શકે સરકાર, 18 મહિનાનું બાકી DA મળી શકે

કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપી શકે સરકાર, 18 મહિનાનું બાકી DA મળી શકે

જો તમે સરકારી કર્મચારી છો તો તમને ટૂંક સમયમાં મોટી ખબર મળી શકે છે. સરકારે કોરોના મહામારી દરમિયાન 18 મહિનાનું મોંઘવારી ભથ્થું ડીએ અને પેન્શન લેતા કર્મચારીઓને એકસાથે મળતાં DR ની ચૂકવણી ટૂંક સમયમાં કરશે. સરકાર કરી શકે છે આ બાબતનું એલાન.

નાણામંત્રાલય કરી રહ્યું છે ચર્ચા
મીડિયાનાં રિપોર્ટ અનુસાર નાણામંત્રાલય અને સંબંધિત વિભાગોની વચ્ચે ઘણીવાર વાતચીત થતી રહે છે. આ વિષય પર મોદી સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઇ શકે છે. જો કે અત્યાર સુધી સરકારે આ વિષયે કોઇ પણ ઓફિશિયલ એલાન કે માહિતી આપેલ નથી. સંભાવના છે કે કર્મચારીઓની માંગને જોતાં સરકાર થોડાં જ સમયમાં પગલું ભરશે.

આટલા સમયથી નથી લઇ રહી નિર્ણય
સરકારે કોરોના મહામારીને લીધે DA રોકી દીધેલ હતું પછી જૂલાઇ 2021થી ડીએમાં વધારો કરી દીધેલ છે. કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે 1 જાન્યુઆરી 2020થી લઇને 30 જૂન 2021 એટલે કે 18 મહિવા સુધીનાં મોંઘવારી ભથ્થામાં કોઇ પણ પ્રકારનાં ફેરફાર કર્યાં નથી. સરકારે આ 18 મહિના સુધીના ડીએમાં થયેલા વધારા પર 11% જેટલો વધારો કર્યો હતો.

મીટિંગનો સમય થયો નક્કી
સરકાર થોડાં જ સમયમાં 18 મહિનાનાં ડીએ એરિયર પર ચર્ચા કરવા જઇ રહી છે. રિપોર્ટ અનુસાર કેબિનેટ સેક્રેટરીની સાથે ડીએ એરિયરને લઇને બેઠકનો સમય નક્કી થઇ ગયો છે. હાલ એ નક્કી નથી કે સરકાર એરિયરનાં પેમેન્ટ માટે સહમત છે કે નથી. સરકાર પહેલા આ મુદાને નકારી ચૂકી છે.

આટલું ડીએ મેળશે
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને જાહેરક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને DA અને મોંઘવારી રાહત DR આપવામાં આવે છે. જેમાં લેવલ-1ના કર્મચારીઓનું ડીએનું એરિયર્સ રૂ. 11,880 થી રૂ. 37,000 વચ્ચે હોય છે. તો લેવલ-13ના કર્મચારીઓને ડીએ એરિયર્સ તરીકે રૂ. 1,44,200 થી રૂ. 2,18,200 મળી શકે તેવી સંભાવના છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow