સરકારની IBCમાં ફેરફારની કવાયત હવે ડેવલપર્સ વિરુદ્વ નાદારી પ્રક્રિયા

સરકારની IBCમાં ફેરફારની કવાયત હવે ડેવલપર્સ વિરુદ્વ નાદારી પ્રક્રિયા

સરકાર હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાદારીને લગતા કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે. તેનાથી ખાસ કરીને જેમના રિયલ એસ્ટેટ ડેવલપર્સ નાદાર થયા છે તે પ્રોજેક્ટમાં મકાન ખરીદનારા ખરીદદારોને વિશેષ રીતે ફાયદો થશે. અત્યારના નિયમોમાં ફેરફાર બાદ પ્રોજેક્ટ પૂર્ણ થઇ ચૂક્યો હોય તેમાં ખરીદદારોને તેમનો ફ્લેટ સોંપવામાં આવશે. ડેવલપરની વિરુદ્વ નાદારી પ્રક્રિયા ચાલતી હોય તો પણ ખરીદદારોને તે પ્રોજેક્ટમાં ફ્લેટ સોંપવામાં આવશે.

સરકારે ઇન્સૉલ્વેંસી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)માં ફેરફારની તૈયારી કરી છે. સૂત્રોનુસાર ત્યારબાદ નાદારી પ્રક્રિયામાં ફસાયેલા પ્રોજેક્ટનું નિરાકરણ એક સાથે નહીં થાય. અલગ અલગ કેસમાં સમાધાન માટે પણ અલગ અલગ પ્રક્રિયા અપનાવાશે. જો કે કોર્પોરેટ મામલાઓના મંત્રાલયે સરકારની આ યોજના અંગે સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો છે. વાસ્તવમાં, તાજેતરના વર્ષોમાં ખાસ કરીને દિલ્હી-એનસીઆર જેવા દેશના કેટલાક શહેરોમાં અનેક પ્રોપર્ટી ડેવલપર નાદાર થયા છે જેને કારણે હાઉસિંગ પ્રોજેક્ટ પણ વિલંબમાં મૂકાયા છે.

અત્યારનો નિયમ શું છે?
જો કોઇ ડેવલપર લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ નિવડે છે અને તેમની વિરુદ્વ નાદારીના પ્રક્રિયા શરૂ થાય છે તો સમાધાન ન થાય ત્યાં સુધી તે પ્રોજેક્ટની કામગીરી રોકી દેવાય છે. તેનાથી એ પ્રોજેક્ટમાં ઘર બૂક કરાવી ચૂકેલા ખરીદદારોની મૂડી ફસાય છે.

અત્યારે શું સ્થિતિ છે?
આ વર્ષે જૂન સુધી દેશમાં કોર્પોરેટ ઇન્સૉલ્વેંસીના કુલ 1,999 કેસ પેન્ડિંગ હતા. તેમાંથી 436 કેસ રિયલ એસ્ટેટ સેક્ટરથી જોડાયેલા છે. IBC અંતર્ગત એક નિર્ધારિત સમયમાં કેસની પતાવટમાં ધાર્યા મુજબ સફળતા નથી.

હવે શું યોજના છે?
1 ઇન્સૉલ્વેંસી એન્ડ બેંકરપ્સી કોડ (IBC)માં ફેરફાર કરાશે 2 કેસની નોંધણી માટે સેંટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ બનાવાશે 3 આવા કેસના પ્રી-પેકેજ્ડ નિરાકરણ પ્લાનને સરળ બનાવાશે 4. એસેટ્સને અલગ અલગ રીતે હેન્ડલ કરાશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow