સરકારની રાજકોષીય ખાધ સમગ્ર વર્ષના લક્ષ્યના 11.8 ટકા: CGA

સરકારની રાજકોષીય ખાધ સમગ્ર વર્ષના લક્ષ્યના 11.8 ટકા: CGA

કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ મેના અંતે વર્ષ 2023-24ના બજેટ અંદાજના 11.8% નોંધાઇ છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2022-23 દરમિયાન રાજકોષીય ખાધ 12.3% હતી. રાજકોષીય ખાધનો અર્થ સરકારની આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત છે. મે 2023ના અંતે ખાધ રૂ.2,10,287 કરોડ હતી તેવું કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (CGA)ના ડેટામાં જણાવવામાં આવ્યું છે. વર્તમાન બજેટમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 5.9% રાખ્યો છે.

વર્ષ 2022-23માં 6.71%ના અંદાજ સામે જીડીપીના 6.4% ખાધ જોવા મળી હતી. 2023-24ના પ્રથમ બે મહિનાના સરકારની આવક-જાવકના ડેટા રજૂ કરતા CGAએ જણાવ્યું હતું કે ટેક્સ આવક બજેટ અંદાજની સામે 11.9 ટકા એટલે કે રૂ.2.78 લાખ કરોડ રહી હતી. જ્યારે કુલ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવેલા અંદાજના 13.9% એટલે કે રૂ.6.25 લાખ કરોડ રહ્યો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow