સરકારની રાજકોષીય ખાધ સમગ્ર વર્ષના લક્ષ્યના 11.8 ટકા: CGA

સરકારની રાજકોષીય ખાધ સમગ્ર વર્ષના લક્ષ્યના 11.8 ટકા: CGA

કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ મેના અંતે વર્ષ 2023-24ના બજેટ અંદાજના 11.8% નોંધાઇ છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2022-23 દરમિયાન રાજકોષીય ખાધ 12.3% હતી. રાજકોષીય ખાધનો અર્થ સરકારની આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત છે. મે 2023ના અંતે ખાધ રૂ.2,10,287 કરોડ હતી તેવું કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (CGA)ના ડેટામાં જણાવવામાં આવ્યું છે. વર્તમાન બજેટમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 5.9% રાખ્યો છે.

વર્ષ 2022-23માં 6.71%ના અંદાજ સામે જીડીપીના 6.4% ખાધ જોવા મળી હતી. 2023-24ના પ્રથમ બે મહિનાના સરકારની આવક-જાવકના ડેટા રજૂ કરતા CGAએ જણાવ્યું હતું કે ટેક્સ આવક બજેટ અંદાજની સામે 11.9 ટકા એટલે કે રૂ.2.78 લાખ કરોડ રહી હતી. જ્યારે કુલ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવેલા અંદાજના 13.9% એટલે કે રૂ.6.25 લાખ કરોડ રહ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow