ગોંડલ યાર્ડ ધાણાથી ઊભરાયું

ગોંડલ યાર્ડ ધાણાથી ઊભરાયું

સૌરાષ્ટ્ર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. ધાણા લેવાશે તેવી જાહેરાત થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો સવારથી યાર્ડની બહાર પહોંચી ગયા હતા અને વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી.

યાર્ડની બહાર બંને બાજુ 3 થી 4 કિલોમીટર લાંબી અને અંદાજે 1400થી પણ વધુ વાહનોની લાંબી કતાર લાગી હતી. યાર્ડમાં અંદાજે સવા લાખથી પણ વધુ ગુણી ધાણાની આવક થવા પામી હતી. હરરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ 1000 થી 1650 બોલાયા હતા. બીજી તરફ જ્યાં સુધી યાર્ડ દ્વારા બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.

યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ગોંડલ યાર્ડ પર વિશ્વાસ છે, અને સત્તાધીશો બહારથી આવતા ખેડૂતો હેરાન ન થાય તેની પૂરતી કાળજી રાખે છે. ધાણાની ગત વર્ષમાં 10 હજાર ગુણીનો નિકાલ થયો હતો. જે આ વર્ષે શરૂઆતમાંથી જ દરરોજની 35 થી 40 હજાર ગુણીનો નિકાલ કરવામાં આવે છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow