સોનાની માગ 7% ઘટી 158.1 ટન

સોનાની માગ 7% ઘટી 158.1 ટન

વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે સોનાની સતત વધી રહેલી કિંમતોને કારણે દેશમાં માગ ઘટી છે. વૈશ્વિક સ્તરે પણ માગમાં ઘટાડો જોવા મળ્યો છે. 2023 ના બીજા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) ઊંચા ભાવને કારણે સોનાની માંગ 7% ઘટીને 158.1 ટન થઈ હતી. જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે 170.7 ટન હતી. વેલ્યુ મુજબ માગ ચાર ટકા વધીને 82530 કરોડ રહી છે જે અગાઉના વર્ષે આ સમયમાં રૂ.79270 કરોડ હતી. ઉંચી કિંમતોના કારણે હવે 22 કેરેટને બદલે 18 કેરેટ સોનાના દાગીનાની માંગ વધી રહી છે ઓછી કિંમતના કારણે લોકો 18 કેરેટ સોનાના ઘરેણાં તરફ આકર્ષાઈ રહ્યા છે. જ્વેલરીની માગમાં 8 ટકાનો ઘટાડો થઇ 128.6 ટન રહી છે જે અગાઉના વર્ષે આ સમયમાં 140.3 ટન રહી હોવાનું વલ્ડ ગોલ્ડ કાઉન્સિલનાના અહેવાલમાં દર્શાવાયું છે. વલ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઈન્ડિયાના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે બીજા ક્વાર્ટરમાં સોનાની માંગમાં 7%નો ઘટાડો થયો છે. ગ્રાહક સેન્ટિમેન્ટને અસર થઈ છે. સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ.64000ની સપાટી સુધી પહોંચ્યા હોવાના કારણે ડિમાન્ડ ઘટી છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ઉંચી કિંમતોના કારણે રિસાયકલનું પ્રમાણ વધી રહ્યું છે. રિસાયકલ 61 ટકા વધી 37.6 ટન રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં 23.3 ટન રહ્યું હતું. જ્યારે આયાત 16 ટકા વધી 209 ટન રહી હતી જે અગાઉના વર્ષે 180.7 ટન રહી હતી. વૈશ્વિક સ્તરે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડની માગ ઘટી 21 ટન રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow