ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. હાલ બ્રિજ પર લટકી રહેલું ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી લટકતું હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે (1 ઓગસ્ટ,2025) વહેલી સવારથી નિષ્ણાંતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી છે. કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જોકે, આ મામલે આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ બ્રિજનું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર પર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે ટેન્કરને બહાર કાઢી શકાય તેમ નથી, જેથી બલુન ટેકનોલોજીથી સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે.

સસ્પેન્ડેડ 4 અધિકારીઓની મિલકતની તપાસ કરવા સીટની રચના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ 4 અધિકારીઓ તથા એક રિટાયર્ડ અધિકારી વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અને સત્તાના દૂર ઉપયોગ મામલે તપાસ કરવા સરકાર તરફથી મંજૂરી મળતા ACB તરફથી સીટની રચના કરવામાં આવી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow