ડિજિટલ પેમેન્ટના વર્ચસ્વથી કરન્સીની વૈશ્વિક માંગ 20 વર્ષમાં સૌથી ઓછી

ડિજિટલ પેમેન્ટના વર્ચસ્વથી કરન્સીની વૈશ્વિક માંગ 20 વર્ષમાં સૌથી ઓછી

દુનિયાભરમાં કરન્સીની માંગ ઘટીને 20 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. દુનિયાની એક તૃતીયાંશથી વધુ બેન્ક નોટ્સને ડિઝાઇન કરતી કંપની ડે લા રૂએ અનુસાર, કોવિડ મહામારી બાદથી કરન્સીની માંગ સતત ઘટી રહી છે. ડે લા રૂએ અનુસાર કોવિડને કારણે લોકડાઉન દરમિયાન બ્રિટનમાં રોકડનો ઉપયોગ ઝડપી દરે ઘટ્યો હતો. તે સાથે જ ભારત જેવા ઉભરતા દેશોમાં મોટા પાયે ચલણી નોટ્સ અને સિક્કાનો ઉપયોગ થતો હતો. પરંતુ ત્યારબાદ દરેક દેશમાં ચલણી નોટ્સની માંગ ઘટી છે કારણ કે લોકો હવે ચૂકવણી માટે કાર્ડનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે.

ભારતમાં કરન્સીના ટ્રેન્ડમાં વૃદ્ધિ
દુનિયાથી વિપરીત ભારતમાં કરન્સીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. RBIના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2012-13 દરમિયાન દેશમાં કરન્સી અને જીડીપીનો ગુણોત્તર 12 ટકા હતો.મુદતકરન્સી સર્ક્યુલેશનમાર્ચ 201818.04માર્ચ 202231.34ડિસેમ્બર 202232.42(આંકડા લાખ કરોડ રૂપિયામાં)

કેટલાક દેશ કેશલેસ ઇકોનોમીના માર્ગ પર
​​​​​​​દેશડિજિટલ, કાર્ડ પેમેન્ટહોંગકોંગ 98.4%નોર્વે 98%સ્વીડન 98%ફિનલેન્ડ 80%ભારત 85%બ્રિટન 83%(સ્ત્રોત: અબાન ઇન્ટરનેશનલ)

કરન્સીની માંગ ઘટવાને કારણે બેન્કનોટ ડિઝાઇન કરતી 200 વર્ષ જૂની કંપની ડે લા રૂએ લોન ચૂકવવામાં નિષ્ફળ નિવડી છે. કંપની અનુસાર, લોન એગ્રીમેન્ટ પર તેમની બેન્કો સાથે વાતચીત ચાલી રહી છે. ઉચ્ચ વ્યાજ ખર્ચની વચ્ચે નફો ઘટવાથી કંપનીની આર્થિક સ્થિતિ વધુ નબળી બની છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow