ગીર અભ્યારણ્યમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા

ગીર અભ્યારણ્યમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા

ગુજરાતના ગીર જંગલમાંથી એક અદભૂત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેણે વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓને અભિભૂત કરી દીધા છે. સામાન્ય રીતે એક કે બે સિંહના દર્શન થવા પણ ગીરની સફારીમાં મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે, ત્યારે એકસાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર લટાર મારતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યએ ગીરના જંગલને ફરી એકવાર "સાવજોનું સામ્રાજ્ય" સાબિત કર્યું છે.

ગીરના સિંહોને તેમના ભવ્ય દેખાવ અને શક્તિશાળી વર્તનને કારણે 'ડાલામથ્થા સાવજ' તરીકે ઓળખવામાં આવે છે. સિંહને સામાન્ય રીતે એકલા શિકાર કરતા કે નાના જૂથમાં જોવામાં આવે છે, પરંતુ ગીરમાં સિંહોના મોટા પરિવારો જોવા મળે છે. તાજેતરમાં જોવા મળેલું 11 સિંહોનું આ જૂથ આ વાતનો જ પુરાવો છે. ​અહીંના સિંહોની ડણક આખા જંગલને ગજવે છે, જે પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે. સિંહનું ગર્જન માત્ર શક્તિનું પ્રતીક નથી, પણ ગીરના શાંત જંગલના ધબકારા પણ છે.

તાજેતરમાં, ગીર જંગલ સફારીના સૂકા કડાયા રૂટ પર એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું હતું. પ્રવાસીઓથી ભરેલી ડ્રાઇવર વકાર રાણીયાની જીપ્સીમાં રહેલા પ્રવાસીઓએ એકસાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ શાંતિથી ટહેલતું નિહાળ્યું હતું. આ દ્રશ્ય એટલું અદ્ભુત હતું કે પ્રવાસીઓએ તાત્કાલિક પોતાના કેમેરામાં આ ક્ષણો કંડારી લીધી હતી.

​પ્રવાસીઓએ જણાવ્યું કે, એકસાથે આટલા બધા સિંહોને નજીકથી જોવું એ જીવનનો એક એવો અનુભવ છે જે માત્ર ગીર જ આપી શકે છે. સામાન્ય રીતે 4-5 સિંહોનું જૂથ જોવા મળતું હોય છે, પરંતુ 11 સિંહોનું આ વિરાટ ટોળું જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત અને રોમાંચિત થઈ ગયા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow