જર્મનીમાં પરિણીતોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની તૈયારી

જર્મનીમાં પરિણીતોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની તૈયારી

જર્મનીમાં પરિણીત લોકોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની સરકારે તૈયારી કરી લીધી છે. ચાન્સેલર ઓલાફ શુલ્ઝની આગેવાની હેઠળની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસપીડી) ગઠબંધન સરકાર દ્વારા આ સંબંધમાં એક પ્રસ્તાવ પણ તૈયાર કરાયો છે. લગ્નના નામે આપવામાં આવતી આ સબસિડી કોઈ સારા કામમાં ખર્ચ કરી શકાય તેવી વિચારણા સરકાર કરી રહી છે. જર્મનીમાં આ કાયદા અંગે છેલ્લા ઘણા સમયથી ટીકાઓ કરવામાં આવી રહી છે.

ખરેખર, પરંપરાગત લિંગ ભૂમિકાઓને અયોગ્ય રીતે પ્રોત્સાહન આપવા માટે કાયદાની લાંબા સમયથી ટીકા કરવામાં આવી છે. ‘ઇએગાટનસ્પ્લિટિંગ’ અથવા ‘મેરિટલ સ્પ્લિટિંગ’ કહેવાથી આ વ્યવસ્થામાં એક દંપતીની કુલ આવક અડધી કરાય છે અને બે વાર ટેક્સ લાદવામાં આવે છે. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે આવકમાં જેટલો મોટો તફાવત હશે તેટલો ‌ફાયદો ટેક્સમાં મળશે. કારણ કે જર્મનીમાં પુરુષો મહિલાઓ કરતાં 18% વધુ કમાય છે.

આ કારણે પુરુષોને આ સિસ્ટમનો વધુ ફાયદો મળે છે. મેરિટલ સ્પ્લિટિંગની શરૂઆત 1958માં થઇ હતી ત્યારે ફેડરલ બંધારણીય અદાલતે ચુકાદો આપ્યો કે વર્તમાન કર પ્રણાલી પરિણીત લોકોને નુકસાન પહોંચાડે છે. લગ્ન સાથે જોડાયેલી ટેક્સ વ્યવસ્થા નાબૂદ કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ 1981માં આવ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow