ચીન સાથે જિયો પોલિટિકલ ઇશ્યુથી ભારત ફાવ્યું ચીનના પ્રોપર્ટી માર્કેટમાં ઘટાડાથી ભારતને ફાયદો

ચીન સાથે જિયો પોલિટિકલ ઇશ્યુથી ભારત ફાવ્યું ચીનના પ્રોપર્ટી માર્કેટમાં ઘટાડાથી ભારતને ફાયદો

જિયો પોલિટીકલ ઇશ્યુના કારણે ચીન સાથે મોટાભાગના દેશોએ વેપાર ઘટાડવા લાગ્યા છે. જેનો સીધો ફાયદો ભારતને મળી રહ્યો છે. ચીનના પ્રોપર્ટી માર્કેટમાં સતત ઘટાડાનો ફાયદો ભારતને મળવા જઈ રહ્યો છે. સિંગાપોરની કેપિટાલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ (CLI) જેવી વૈશ્વિક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ ભારત અને વિયેતનામ જેવા દેશોમાં રોકાણની શક્યતાઓ શોધી રહી છે.

સીએલઆઇના લગભગ ત્રીજા ભાગનું રોકાણ ચીનમાં છે. વાસ્તવમાં, ચીનની સરકાર અનુસાર નવા મકાનોની કિંમતો છેલ્લા સાત વર્ષમાં સૌથી ઝડપી દરે ઘટી છે. ચીનમાં પ્રોપર્ટીના વેચાણમાં પણ ઓક્ટોબરમાં સતત 15મા મહિને ઘટાડો થયો હતો. આ જ કારણ છે કે ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, આ વર્ષના ઓક્ટોબર સુધીમાં ચીનમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં રોકાણમાં 8.8%નો ઘટાડો થયો છે.

દરમિયાન, કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 22.3% અને કોમર્શિયલ ઈમારતોના વેચાણમાંથી થતી આવકમાં 26.1%નો ઘટાડો થયો છે. અહીં ભારતીય પ્રોપર્ટી માર્કેટના તાજેતરના આંકડા ચીનથી વિપરીત ચિત્ર રજૂ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પ્રોપર્ટી પ્રાઇસ ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. રિઝર્વ બેંકનો HPI જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 3.5% વધ્યો હતો.

માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 1.8% નો વધારો પણ જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા વધુ સારા હશે. દેશના રિયલ એસ્ટેટ માર્કેટમાં કોરોના મહામારી બાદ ઝડપી તેજી જોવા મળી છે. ખાસકરીને હાઉસિંગ સેગમેન્ટમાં બમણો ગ્રોથ નોંધાયો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow