ગાઝા પટ્ટીમાં ઇમારતમાં આગ, 21 લોકો ભડથું

ગાઝા પટ્ટીમાં ઇમારતમાં આગ, 21 લોકો ભડથું

ગાઝા પટ્ટીમાં એક રહેણાંક ઇમારતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 7 બાળકો હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ લોકો પેલેસ્ટાઈનના શરણાર્થીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું - આગનું કારણ જાણી શકાયું નથી. જોકે પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડીંગમાં રાખેલું સંગ્રહિત ગેસોલીનના કારણે આગ લાગવાની શક્યતા છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે બિલ્ડિંગમાં ગેસોલીન કેમ રાખવામાં આવ્યું?

હેલ્થ એન્ડ સિવિલ ઇમરજન્સી ઓફિસરે કહ્યું- આગ ખૂબ જ ભયાનક હતી. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઘણા લોકો ઘાયલ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. આ દરમિયાન ઇઝરાયેલ સરકારે કહ્યું કે જો જરૂર પડશે તો તે ઘાયલ શરણાર્થીઓની તબીબી સારવારમાં મદદ કરશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow