પશુ માટે દૂધ ભરવા કમળાપુર જતા યુવકના બાઈકને બેકાબુ ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત

પશુ માટે દૂધ ભરવા કમળાપુર જતા યુવકના બાઈકને બેકાબુ ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત

જસદણના કમળાપુર ગામની સીમમાં પોતાની વાડીએ પરિવાર સાથે રહેતા યુવાન રમેશભાઈ તા.30 માર્ચની રાત્રે પોતાની વાડીએ પશુ રાખ્યા હોય તેનું દૂધ દોહી દૂધ ભરવા માટે પોતાના બાઈક પર કમળાપુર જતા હતા. આશરે સાડા આઠેક વાગ્યે કમળાપુર - જસદણ રોડ પર મધુભાઇ રામાણીની વાડી પાસે વડલાના આંકવા પાસે પુરપાટ ઝડપે આવતા એક ટ્રેકટર ચાલકે બાઈક સાથે રમેશભાઈને હડફેટે લેતા રમેશભાઈને કપાળના ભાગે, ગળાના ભાગે, દાઢીના ભાગે ઇજા થાત લોહી લુહાણ થઈ ગયા હતા. બનાવના પગલે રાહદારીઓ અને આસપાસના લોકો એકત્ર થયા હતા. બેભાન રહેલા રમેશભાઈને 108માં જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ટ્રેકટર ચાલક ફરાર
અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં ભાડલા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. અકસ્માત સર્જી નાસી ચૂટેલ ટ્રેકટર ચાલક પારેવાળા ગામનો સતીષ ઉર્ફે સતીયો હરેશભાઇ કંબાળીયા હોવાનું સામે આવ્યું છે.

પરિવારમાં કલ્પાંત છવાયો
મૃતકના પત્ની ભાનુબેન રમેશભાઇ વાવડીયા (ઉ.વ.35)ની ફરિયાદ પરથી ટ્રેકટર ચાલક સામે ભાડલા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક 13 વર્ષની દીકરી છે અને એક-એક વર્ષના બે જોડિયા દીકરો દીકરી છે. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow