ફ્રાન્સઃ હત્યા કરનાર પોલીસકર્મીને 14 કરોડ જ્યારે મૃત્યુ પામેલા નેહલને 4 કરોડ રૂપિયા દાનમાં મળ્યા

ફ્રાન્સઃ હત્યા કરનાર પોલીસકર્મીને 14 કરોડ જ્યારે મૃત્યુ પામેલા નેહલને 4 કરોડ રૂપિયા દાનમાં મળ્યા

ફ્રાન્સમાં 17 વર્ષીય મુસ્લિમ નેહલની ટ્રાફિક પોલીસ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવતાં હિંસા ફાટી નીકળી હતી. અસંખ્ય વાહનો અને સરકારી ઇમારતને આગ લગાડાઈ હતી. આ હિંસામાં કરોડોનું નુકસાન થયું છે. બીજી તરફ ફંડ એકઠું કરવાની કામગીરી પણ શરૂ થઇ છે. એક નેહલની માતાના સમર્થનમાં અને બીજું નેહલને ગોળી મારનાર પોલીસ અધિકારીના પરિવાર માટે.

પોલીસ અધિકારીના સમર્થનમાં 85,000 થી વધુ લોકોએ દાન આપ્યું છે, લગભગ 14 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તો બીજી તરફ નેહલના પરિવારના સમર્થનમાં 21,000થી વધુ લોકોએ દાન આપ્યું, જેમાં લગભગ 4 કરોડ એકત્ર થયા છે. પોલીસ અધિકારીના સમર્થનમાં ભંડોળ ઊભું કરવાની શરૂઆત જીન મસીહા દ્વારા કરવામાં આવી હતી, જે પ્રમુખપદના ઉમેદવાર એરિક ઝેમરના ભૂતપૂર્વ પ્રવક્તા હતા, જેનો પ્રારંભિક લક્ષ્ય આશરે રૂ. 45,000 હતો. તેમણે કહ્યું કે પોલીસ અધિકારી તેમની ફરજ બજાવી રહ્યા છે જેની તેમને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.

ત્યારે સત્તામાં રહેલા એરિક બોથોરેલે આ ભંડોળ એકત્ર કરનારને અભદ્ર અને નિંદનીય ગણાવ્યું છે. જોકે બંને રકમ ખૂબ મોટી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગોળીથી માર્યા ગયેલા સગીર કરતાં ગોળી મારનારને વધુ સમર્થન મળ્યું છે. ભલે ફ્રાન્સ ભેદભાવ ન કરવાનો દાવો કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow