FPIની નેટ શોર્ટ પોઝિશન સર્વોચ્ચ સ્તરે રોકાણકારોની ફેડ બાદ RBI પર નજર

FPIની નેટ શોર્ટ પોઝિશન સર્વોચ્ચ સ્તરે રોકાણકારોની ફેડ બાદ RBI પર નજર

અમદાવાદ ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) આગામી સપ્તાહમાં વેચાણ કરશે. આ કારણે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો જોવા મળી શકે છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં FPIs દ્વારા નેટ શોર્ટ સેલિંગ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. તેઓએ કોવિડ-સમયમાં કરેલા વેચાણને પણ પાછળ છોડી દીધું છે. NSEના અહેવાલ અનુસાર નિફ્ટીમાં નેટ શોર્ટ સેલિંગ કોન્ટ્રાક્ટ હાલમાં 1,95,000 છે. આ સંખ્યા માર્ચ 2020ના 1,73,000ના કરતાં વધુ છે. નેટ શોર્ટ ટ્રેડિંગનો અર્થ એ છે કે શોર્ટ ટ્રેડની સંખ્યા લોંગ ટ્રેડની સંખ્યા કરતાં વધુ છે. આ કારણે સેન્સેક્સ, નિફ્ટી હજુ આગામી અઠવાડિયામાં નીચા સ્તરે પહોંચી શકે છે. ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં સાવચેતીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

મોટાભાગના રોકાણકારો 0.25bps પોઇન્ટ વધશે અને પરિણામે બજાર બોટમ આઉટ થશે તેવો નિર્દેશ કરી રહ્યાં છે. ફુગાવો કાબુમાં આવી રહ્યો છે અને બીજી તરફ બેન્કોની કટોકટીને ધ્યાનમાં રાખી વ્યાજદર વૃદ્ધિને સિમિત કરશે તેમજ આગળ જતા પણ વ્યાજદર વધારો હવે અટકાવે તેવી સંભાવનાઓ વધી છે.

જ્યારે ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કેટલો વધારો કરે છે તેના પર સ્થાનિક રોકાણકારોની નજર કેન્દ્રિત થઇ છે. ભારતીય શેરમાર્કેટમાં બેન્કિંગ, ફાઇનાન્સ અને કોમોડિટી સેક્ટરમાં મજબૂત સ્થિતીના કારણે સેન્સેક્સ 139.91 પોઈન્ટ વધીને 58214.59 બંધ રહ્યો હતો ઇન્ટ્રા-ડેમાં 58418.78 ની ઊંચી અને 58063.50ની નીચી સપાટીએ જોવા મળી હતી. નિફ્ટી 44.40 પોઈન્ટ વધીને 17151.90 બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં વધારો થઇ 257.98 લાખ કરોડ રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow