યુવાન પુત્રને ગુમાવ્યાનું દુ:ખ ભૂલી પરિવારે પુત્રવધૂને દીકરી સમાન ગણી સાસરે વળાવી

યુવાન પુત્રને ગુમાવ્યાનું દુ:ખ ભૂલી પરિવારે પુત્રવધૂને દીકરી સમાન ગણી સાસરે વળાવી

ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છેે. જે કોડભરી કન્યાને હોંશે હોંશે ઘરે લાવ્યા હતા એ કન્યાનો ભરથાર જ ઓચિંતો દુનિયા ત્યજીને મોટા ગામતરે ચાલી નીકળે ત્યારે પુત્રના માતા પિતા અને પુત્ર વધૂના પરિવાર પર શું વીત્યું હોય એ તો જેના પર વીત્યું હોય તેનાથી વિશેષ કદાચ જ કોઇ સમજી શકે. યુવા વયે જ પુત્ર વધૂના સેંથાનું સિંદૂર ભૂંસાઇ ગયું અને પુત્ર ઇશ્વરને પ્યારો થઇ ગયો એ પછી પરિવારે એ કન્યાની આગળની જીંદગીની ચિંતા કરી અને સાસુ, સસરાએ મા બાપ બની વહુને દીકરી સમાન ગણી તેના માટે ભરથારની શોધ ચલાવી અને યોગ્ય પાત્ર શોધી તેનું કન્યાદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું.

ધોરાજીમાં રહેતાં પટેલ સમાજના રણછોડભાઈ બાબરિયાના યુવાન પુત્ર વિનેશભાઈનું યુવા વયે અવસાન થયું હતું. બાબરીયા પરિવાર માટે આ આઘાત વજ્ર સમાન હતો પરંતુ પરિવારે હિંમત ન હારી અને પોતાની પુત્રવધૂને દીકરી સમાન ગણી દિપ્તી માટે યોગ્ય મુરતીયાની શોધ ચલાવી અને જૂનાગઢના વતની એવા યુવાન સાથે શાસ્ત્રોકત વિધિથી ધામેધુમે પરણાવી તેના સંસાર રથને આગળ ધપાવ્યો. એટલું જ નહીં, દીકરીને લાખેણો કરિયાવર આપીને વિદાય કરી હતી. બાબરીયા પરિવારના રાધાબેન , મનહરભાઈ, અશોકભાઈ સહિતના કુટુંબીજનોએ પોતાની પુત્રવધૂને પુત્રીનો દરજ્જો આપી સાસરે વળાવીને સમાજમાં નવી પહેલ કરી છે અને પટેલ સમાજના વિવિધ સામાજીક અગ્રણીઓએ તેની સરાહના કરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow