પરંપરાગત જ્ઞાન-AIની મદદથી જંગલની આગને રોકી શકાય છે

પરંપરાગત જ્ઞાન-AIની મદદથી જંગલની આગને રોકી શકાય છે

હવાઈ ​​અને રૉડ આઈલેન્ડ જેવા પ્રવાસન સ્થળોથી લઈને કેનેડા અને બ્રાઝિલના જંગલોમાં વિકરાળ આગ ફેલાઈ. તેના પાછળનું એક જ કારણ જળવાયુ પરિવર્તન છે. ભારતના ઘણા જંગલોમાં પણ આગ લાગવાની સંભાવના છે.

વિશ્વમાં આગના મોટા કિસ્સા ક્યાં બન્યા?
હવાઈએ સદીની સૌથી મોટી આગનો સામનો કર્યો. લગભગ 100 લોકોના મોત સાથે 45.9 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માઉઈમાં ઓછો વરસાદ અને રેકોર્ડ તાપમાને લીધે જંગલની આગનું કારણ બન્યું. જોકે આ તામામ પાછળ જળવાયુ પરિવર્તન જવાબદાર છે. કેનેડામાં જંગલમાં લાગેલી આગે મોટા હિસ્સા લપેટમાં લીધો હતો.

ભારતના જંગલોમાં આગનો ખતરો કેટલો છે?
ભારતના જંગલો એશિયામાં અત્યંત સમૃદ્ધ છે, પરંતુ તે સૌથી વધુ જોખમી પણ છે. સૌથી ચિંતાજનક આંકડા એ છે કે દેશના 36% જંગલ વિસ્તાર આગ માટે સંવેદનશીલ છે. માર્ચની શરૂઆતથી 12 દિવસમાં ભારતમાં જંગલમાં આગ લાગવાની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 115%નો વધારો થયો છે.

ભારતમાં કેવા પ્રયાસો થઈ રહ્યા છે?
ભારતમાં આ દિશામાં કામ શરૂ થઈ ગયું છે. આ માટે 2018માં ફોરેસ્ટ ફાયર પર નેશનલ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તેનો સૌથી મોટો ઉદ્દેશ્ય લોકોના સમુદાય અને સરકારી વન વિભાગના સંયુક્ત પ્રયાસથી જંગલમાં આગ લાગવાની ઘટનાઓને રોકવાનો છે. ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ યોજના 2017માં જંગલમાં લાગેલી આગને રોકવા માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે શરૂ કરાઈ હતી.

એઆઈ આગને રોકવામાં કેવી રીતે મદદ કરી શકે?
દેશમાં આગ ઓલવવા માટે અનેક આધુનિક તકનીકો છે. તે સિવાય એઆઈ પણ જંગલોની આગનું અનુમાન, નિવારણ માટે મદદરૂપ થઈ શકે છે. સ્વદેશી જ્ઞાન તેમજ એઆઈ પાવર પ્રિડિક્શન મોડલ આગને ઝડપથી અટકાવી શકે છે. અરુણ સિંહ રાવતે જંગલમાં લાગેલી આગને રોકવા માટે આપણે અસરકારક વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને લઈને ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. આદિવાસીની આધુનિક શોધ પ્રણાલી અને પરંપરાગત નિયંત્રણ તકનીકો અસરકારક સાબિત થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow