દેશમાં અનાજનું ઉત્પાદન 323 MTના સર્વાધિક સ્તરે પહોંચશે

દેશમાં અનાજનું ઉત્પાદન 323 MTના સર્વાધિક સ્તરે પહોંચશે

દેશમાં જૂન મહિનામાં પૂરા થતા ચાલુ પાક વર્ષ દરમિયાન અનાજનું કુલ ઉત્પાદન 323.55 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વાધિક સ્તરે જોવા મળે તેવી સંભાવના છે. ચાલુ પાક વર્ષ દરમિયાન ચોખા, ઘઉં તેમજ કઠોળના રેકોર્ડ ઉત્પાદનને પગલે કુલ ઉત્પાદન 320 મિલિયન ટનને આંબવાનો અંદાજ છે.

દેશમાં ઘઉંનું ઉત્પાદન પાક વર્ષ 2022-23 (જુલાઇ-જૂન) દરમિયાન 112.18 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે પહોંચે તેવો અંદાજ કૃષિ મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગત વર્ષ દરમિયાન કેટલાક રાજ્યોમાં હીટવેવને પગલે ઘઉંનું ઉત્પાદન આંશિક ઘટીને 107.74 મિલિયન ટન નોંધાયું હતું. અગાઉ પાક વર્ષ 2020-21 દરમિયાન ઘઉંનું ઉત્પાદન 109.59 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે રહ્યું હતું. પાક વર્ષ 2022-23 (જુલાઇ-જૂન)ની રવિ સીઝન દરમિયાન અત્યાર સુધી ઘઉંના પાકનો વાવેતર વિસ્તાર પણ 1.39 લાખ હેકટર્સથી વધીને 343.23 લાખ હેકટર્સ થયો છે. આ વર્ષે મોટા પાયે અનાજના ઉત્પાદનને કારણે નિકાસ પણ વધશે.

ઘઉંના વધુ ઉત્પાદનને અંદાજને કારણે સ્થાનિક સ્તરે તેની ઉપલબ્ધતા વધશે જેને કારણે ગઉં તેમજ ઘઉંના લોટની રિટેલ કિંમતમાં પણ ઘટાડો થશે. ગત વર્ષે કિંમતોને અંકુશમાં રાખવા માટે સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે રિટેલ કિંમતોને અંકુશમાં રાખવા માટે તાજેતરમાં 3 મિલિયન ટનનો જથ્થો માર્કેટમાં ઠાલવ્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow