ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના મોટા માથાએ આપી દીધું રાજીનામું, તેમને પ્રતાપે તો કંપની તરી ગઈ

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના મોટા માથાએ આપી દીધું રાજીનામું, તેમને પ્રતાપે તો કંપની તરી ગઈ

દેશની સૌથી મોટી ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો લિમિટેડના કો ફાઉન્ડર અને ચીફ ટેકનોલોજી ઓફિસરે આજે તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. ઝોમેટોએ ભારતીય શેર બજારને આ માહિતી આપી છે. જેમાં કંપનીએ જણાવ્યું હતું કે ગુંજન પાટીદારે ઝોમેટોમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ઝોમેટોમાં આપ્યું અમૂલ્ય યોગદાન
ઝોમેટોએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, પાટીદારે એક અદભૂત તકનીકી નેતૃત્વ ટીમનું સંચાલન કર્યું છે. ઝોમેટોના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

મોહિત ગુપ્તાએ ગયા વર્ષે આપ્યું હતું રાજીનામું
નવેમ્બર 2022 માં, કંપનીના અન્ય સહ-સ્થાપક, મોહિત ગુપ્તાએ, તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સાડા ચાર વર્ષ પહેલા ઝોમેટોમાં જોડાયેલા ગુપ્તાને 2020માં તેના ફૂડ ડિલિવરી બિઝનેસના સીઈઓના પદ પરથી કો-ફાઉન્ડર બનાવવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર 2022માં ઝોમેટોની આવક વધી
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઝોમેટોની ચોખ્ખી ખોટ વધીને 250.8 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2022 ના સમાન ક્વાર્ટરમાં 434.9 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન આવક 62.20 ટકા વધીને 1,661.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ફૂડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસનું વેચાણ માત્ર 22 ટકા વધીને રૂ.6,631 કરોડ થયું છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.5,410 કરોડ હતું. સોમવારે બીએસઈ પર ઝોમેટોનો શેર 1.52 ટકાના વધારા સાથે 60.26 રૂપિયા પ્રતિ શેર પર બંધ રહ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow