ફૂડ શાખાએ પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના યુનિટ અને ડેરીમાં ચેકીંગ હાથ ધર્યું,શહીદ સુખદેવ ટાઉનશીપમાં ફાયર મોકડ્રિલ યોજાઈ

ફૂડ શાખાએ પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના યુનિટ અને ડેરીમાં ચેકીંગ હાથ ધર્યું,શહીદ સુખદેવ ટાઉનશીપમાં ફાયર મોકડ્રિલ યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગઈ આજે શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના યુનિટ અને ડેરીમાં ચેકીંગ હાથ ધર્યું. જેમાં 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

આ સ્થળો પર ચેકીંગ કરાયું
આજે ફૂડ વિભાગ દ્વારા સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ગંગોત્રી ડેરી ફાર્મ,ડિલિસિયસ ફૂડ,લીંબુ સોડા સેન્ટર,જય સિયારામ ફરસાણ હાઉસ,અતુલ બેકરી,શિવમ આઈસક્રીમ,જલારામ વડાપાઉં,ઉમિયા રસ પાર્લર,ગજાનન રસ & આઇસ ડિશ,પાટીદાર ગોલાવાળા,બાપ સીતારામ રસ સેન્ટર,મનમંદિર કોલ્ડ્રિંક્સ,કેપસીકોન ધ અરબન એન્ટ્રી,બંસીધર ડેરી ફાર્મ,ભાવેશ પાન & કોલ્ડ્રિંક્સ,જુલેલાલ કોલ્ડ્રિંક્સ,જય દ્વારકાધીશ રસ ડિપો,કેક ઓ હોલીક,ઓમ સુપર માર્કેટ,ક્રિષ્ના કેન્ડી,શ્યામ પાનની ચકાસણી કરવામાં આવી હતી.આજે ફૂડ શાખા દ્વારા ક્રિસ્ટલ બેવ્રેજીસ, શિવાનંદ એન્ટરપ્રાઇઝ અને બ્રીસવેલ બેવ્રેજીસ માંથી પીવાના પાણીની 500 MLની બોટલનો નમુનો લેવામાં આવ્યો હતો.  

ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોની તાલીમ અપાઈ

શહીદ સુખદેવ ટાઉનશીપમાં ફાયર મોકડ્રિલ યોજાઈ
રાજકોટ મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા શહીદ સુખદેવ ટાઉનશીપ ખાતે ફાયર સેફટીની મોકડ્રિલનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 50 જેટલા રહેવાસીઓ જોડયા હતા. જેમાં બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ અપાઈ હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow