વેચાણ વોલ્યુમ વૃદ્ધિ માટે FMCG કંપનીઓ કેટલીક પ્રોડક્ટના પેકનું વજન વધારવાની તૈયારીમાં

વેચાણ વોલ્યુમ વૃદ્ધિ માટે FMCG કંપનીઓ કેટલીક પ્રોડક્ટના પેકનું વજન વધારવાની તૈયારીમાં

વૈશ્વિક સ્તરે મોંઘવારી કાબુમાં આવી રહી છે. દેશમાં પણ મોંધવારીનો આંક ઝડપી નીચો આવી રહ્યો છે ત્યારે એફએમસીજી કંપનીઓ વેચાણ વૃદ્ધિ પર ફોકસ કરી રહી છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 18 મહિનાની સૌથી નીચી 4.7% પર આવી ગયા બાદ બીજી મોટી રાહત મળવાની છે. સાબુ, તેલ, પેસ્ટ જેવા દૈનિક વપરાશી વસ્તુઓ (FMCG)ના ભાવ ઘટે તેવી સંભાવના છે. મોટી એફએમસીજી કંપનીઓના સીઈઓએ આવા સંકેતો આપ્યા છે.

હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને મેરિકો જેવી લિસ્ટેડ કંપનીઓના સીઈઓએ કહ્યું છે કે અનાજ અને ખાદ્ય તેલ જેવા કાચા માલના ભાવમાં ઘટાડો થવાને કારણે તેમની કમાણી વધી છે. ગ્રાહકો આ કંપનીઓના ટોચના અધિકારીઓએ ત્રિમાસિક પરિણામોની જાહેરાત સમયે જણાવ્યું હતું કે જ્યાં પણ શક્ય હશે ત્યાં તેઓ ભાવ ઘટાડવાનું અથવા પેકિંગ ઉત્પાદનોના વજનમાં વધારો કરવાનું ચાલુ રાખશે. તેમના મતે હવે તે માત્ર માર્જિન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વેચાણ વધારવા પર ધ્યાન આપશે.

એસી, ફ્રિજના ભાવમાં વધારો નહીં થાય, વોલ્ટાસ, હેવેલ્સ અને બ્લુ સ્ટાર જેવી કંપનીઓએ કહ્યું છે કે તેઓ એસી, ફ્રિજ જેવા ઉત્પાદનોના ભાવમાં વધારો કરશે નહીં કારણ કે કોપર અને એલ્યુમિનિયમ જેવા કાચા માલના ભાવ સ્થિર થયા છે. વોલ્ટાસ જેવી કેટલીક કંપનીઓએ અગાઉ કહ્યું હતું કે તેઓ એપ્રિલમાં કિંમતોમાં વધારો કરી શકે છે, પરંતુ એવું થયું નહીં. તેનાથી વિપરિત,વોલ્ટાસ અને બ્લુ સ્ટાર જેવી કંપનીઓએ કહ્યું કે તેમની કેટલીક પ્રોડક્ટ્સ જેમ કે એસી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow