ફૂલ છે કે સોનુ? ફુલબજાર માં જોવા મળ્યો ભડાકો 200-500 ના કિલો ના ભાવે વહેંચતા ફૂલો અત્યારે,,જાણી ને થઇ જશે બેભાન.!

ફૂલ છે કે સોનુ? ફુલબજાર માં જોવા મળ્યો ભડાકો 200-500 ના કિલો ના ભાવે વહેંચતા ફૂલો અત્યારે,,જાણી ને થઇ જશે બેભાન.!

હાલમાં આપણા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ અને લગ્નનો માહોલ ખૂબ જામી ચૂકેલો છે. એક બાજુ ચૂંટણી ચાલી રહી છે તો બીજી તરફ લગ્નની તૈયારીમાં લોકો વ્યસ્ત થયેલા જોવા મળે છે. લગ્નમાં લગ્ન વાળા સ્ટેજને ખૂબ જ અત્યંત મનમોહક રીતે શણગારવામાં આવતું હોય છે. જેમાં અનેક લોકોને રોજગારી પણ મળી રહેતી હોય છે. લગ્ન પ્રસંગ દરમિયાન લગભગ રોજગાર ધંધો આસમાને પહોંચતા હોય છે અને એવા તમામ લોકો ને રોજગારી મળે છે.

લગ્નમાં ખાસ કરીને વિદેશી ફૂલોની ખૂબ જ ડિમાન્ડ રહેતી હોય છે અને લગ્ન પ્રસંગ નજીક આવતાની સાથે જ વિદેશી ફૂલોની માંગ પણ વધી જતી હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં સ્ટેજને શણગારવામાં વિદેશી ફૂલોનો વધુ પડતો ઉપયોગ જોવા મળે છે. ફૂલનો વેપાર કરતા પ્રજ્ઞેશભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી કોરોના ચાલી રહ્યો હોવાને લીધે લોકો લગ્ન યોગ્ય રીતે કરી શકતા ન હતા. પરંતુ હાલ એવા કોઈ પ્રતિબંધ ન હોવાને કારણે ફૂલ બજારમાં ભારે તેજીનો માહોલ જોવા મળે છે.

અને ફૂલની ડિમાન્ડ પણ વધુ થઈ ચૂકી છે. જેમાં તેને જણાવ્યું કે પીચ વાઈટ અને પિંક કલર થી ખૂબ જ અનોખી રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. તેને કહ્યું કે શિયાળાની ઋતુમાં ફ્રેશ ફ્લાવરની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે. તેમને જણાવ્યું કે આ બધા વિદેશી ફૂલો બેંગ્લોર, કલકત્તા અને મુંબઈથી મંગાવવામાં આવતા હોય છે. તેમણે જણાવ્યું કે લગ્નના સ્ટેજને ડેકોરેશન કરવામાં લગભગ પાંચથી છ કલાકનો સમય લાગી જતો હોય છે.

વધુમાં જણાવ્યું કે હાલમાં રાજકોટમાં ફુલ બજારમાં ₹40 થી લઈને ₹2,000 સુધીના કિલોના ભાવ ફૂલો વહેંચાઈ રહ્યા છે. જોકે સામાન્ય દિવસોમાં 200 થી ₹500 ના કિલો ફૂલો વહેચાતા હોય છે અને હાલમાં લગ્નની સિઝન દરમિયાન 1500 થી 2000 ના ભાવ 1 કિલો ફુલ વેચાઈ રહ્યા છે. અત્યારે ભાવમાં પણ બે થી ત્રણ ગણો વધારો થઈ ચૂક્યો છે. આમ ફૂલોથી માંડીને બેન્ડવાજા વાળાને પણ હાલમાં ખૂબ જ રોજગારીની તકો ઊભી થતી હોય છે અને લગ્ન પ્રસંગને ખાસ બનાવવામાં આવતો હોય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow