રાજકોટમાં અગ્નિવર્ષા 43.9o ડિગ્રી તાપમાન

રાજકોટમાં અગ્નિવર્ષા 43.9o ડિગ્રી તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બુધવારે મહત્તમ તાપમાન ઊંચકાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રણમાંથી પવનો ફૂંકાતા ગરમીનો આકરો મિજાજ શરૂ થયો છે. હીટવેવ કન્ડિશન શનિવાર સુધી યથાવત્ રહેશે. ત્યારબાદ ગરમીનો પારો નીચો જશે. રાજકોટમા બુધવારે 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ચાલુ વર્ષનું સૌથી ઊંચું તાપમાન હતું. શનિવાર સુધી હીટવેવ કન્ડિશન નોંધાશે. જેને કારણે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં તાપમાન આટલું જ જળવાઈ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે તાપમાન ઊંચું રહેતા બપોરે 12.30 થતાની સાથે જ તેની અસર વર્તાઈ હતી.

લોકોએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરિણામે રોડ-રસ્તા પણ સૂમસામ જોવા મળ્યા હતા. દ્વારકા, ઓખા, વેરાવળ, મહુવાને બાદ કરતા તમામ શહેરોમાં તાપમાન 41થી લઈને 44 ડિગ્રી સુધી નોંધાયું હતું. અચાનક જ ગરમી પડતા ઠંડાપીણા, લીંબુની ડિમાન્ડમાં પણ વધારો થયો હતો. હાલ ગરમીની ઋતુ ચાલતી હોય ડેરીમાં આવતા દૂધની આવકમાં પણ ઘટાડો થયો છે.

મંગળવારની સરખામણીએ બુધવારે એક ડિગ્રી તાપમાન વધુ નોંધાયું હતું. શનિવાર સુધી આકરા તાપની આગાહી હોય લોકોને ખાસ કરીને દર્દી, વૃદ્ધ, બાળકોને બિનજરૂરી રીતે ઘરની બહાર નહિ નીકળવા તાકીદ કરવામાં આવી છે. રાજકોટમાં ત્રિકોણબાગ, બસ સ્ટેન્ડ, ઔદ્યોગિક વિસ્તાર સહિત રાજકોટમાં કેટલાક સ્થળોએ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow