વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સતર્કતા સાથે નાણાકીય આયોજન જરૂરી

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સતર્કતા સાથે નાણાકીય આયોજન જરૂરી

વૈશ્વિક સ્તરે તાજેતરમાં યુએસમાં બે બેન્કો નાદાર થવાની ઘટનાઓની સાથે સાથે કેટલાક અન્ય પરિબળોને કારણે ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોએ નાણાકીય, કોર્પોરેટ તેમજ બચત ખાતાને લગતી યોજના બનાવવામાં વધુ સતર્કતા રાખવી પડશે તેવું મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથા નાગેશ્વરને જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો વૈશ્વિક વૃદ્ધિદર અંગેનો અંદાજ હવે ધ્યાનમાં રાખવાને બદલે યુએસમાં બનનારી ઘટનાઓથી વ્યાજદરો, સપ્લાય ચેઇનને થનારી અસરો પર દરેક દેશોએ ધ્યાન આપવું પડશે.

અમેરિકામાં ગત સપ્તાહે સિગ્નેચર બેન્ક અને ન્યૂયોર્ક બેન્કે નાદારી નોંધાવી હતી. તે ઉપરાંત, ગત સપ્તાહે સિલિકોન વેલી બેન્કને તાળા લાગતાં અનેક સ્ટાર્ટઅપ્સ, ટેક કંપનીઓ, ઉદ્યોગસાહસિકો અને VC ફંડ્સ ચિંતામાં મૂકાયા હતા. ક્રિસિલ ઇન્ડિયા આઉટલૂક સેમિનારને સંબોધિત કરતા નાગેશ્વરને જણાવ્યું હતું કે અનિશ્વિતતાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને છેલ્લા કેટલાક સપ્તાહથી તેની તીવ્રતા વધી છે. આગામી કેટલાક વર્ષો દરમિયાન અનેક દેશોએ આ અનિશ્વિતતા સાથે રહેવાની આદત પાળવી પડશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow