પરિવારનો માળો વિખાયો: પતિને બચાવવામાં પત્ની, માને બચાવવામાં પુત્રએ ગુમાવ્યો જીવ, ઘટના જાણીને ધ્રુજી જશો

પરિવારનો માળો વિખાયો: પતિને બચાવવામાં પત્ની, માને બચાવવામાં પુત્રએ ગુમાવ્યો જીવ, ઘટના જાણીને ધ્રુજી જશો

તાપી જિલ્લામાં કાળજું કંપાવી નાખતી ઘટના સામે આવી છે જેમાં એક સાથે પરિવારના ત્રણ સભ્યો પર વીજ કરંટથી મોત થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ખેડૂત પરિવારએ જંગલી ભૂંડથી બચવા વિજતાર લગાવ્યા હતા જેમાં પતિને કરંટ લાગતા પત્નીએ ક્ષણ ભરનો પણ વિલંબ કર્યા વગર દોટ લગાવી હતી. જેમાં તેને પણ શોક લાગ્યો હતો આ દરમિયાન માને બચાવવા જતા પુત્રને પણ આંચકો લાગતા તમામના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. વીજ તારનીં સ્વીચ બંધ કરવાનું ભૂલી જતા આ દુર્ઘટના ઘટી હોવાનું બહાર આવ્યું છે.

હૈયુ હચમચાવતી ઘટના

વાલોડ તાલુકાના મોરદેવી ગામે વસવાટ કરતા અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ધીરુભાઈ ચૌધરી, પોતાની પત્ની ક્રિષ્ના બેન ચૌધરી અને પુત્ર દેવરામ ઉર્ફે શેલેષ ચૌધરી સાથે રહેતા હતા. આ દરમિયાન ભૂંડના ત્રાસથી બચવા તેમને ખેતરમાં વિજ કરંટ મુક્યો હતો આ તારનું કનેક્શન ધીરુભાઇના ઘરમાથી અપાયું હતું આથી દિવસ દરમિયાન સ્વીચ બંધ કરી દેતા હતા.પરંતુ આજે સ્વીચ બંધ કરવાનું ભૂલી જતા હૈયુ હચમચાવતી ઘટના ઘટી હતી.

ગામમાં ગમગીની છવાઈ

ધીરુભાઈ સવારે વહેલા પાણી વળવા ગયા હતા. પાણી વાળતી વેળાએ ભેજને પગલે એકાએક જોરદાર વીજ શોક લાગ્યો હતો. જે અંગે જાણ થતા ક્રિષ્નાબેન દોડી ગયા હતા અને તેને પણ આંચકો લાગ્યો હતો. આ બનેના અવાજ સાંભળી પુત્ર પણ કૂદી પડતા ત્રણેયને વીજ શોક લાગ્યો હતો અને તમામને સારવાર મળે તે પહેલા જ મોત નિપજયા હતા. જેને લઇને ગામમાં ગમગીની છવાઈ હતી. બીજી બાજુ પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો હતો. તો વાલોડ પોલીસે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow