નિકાસ 22% ઘટી ત્રણ વર્ષના તળિયે વેપારખાધ ઘટીને $20.3 અબજ

નિકાસ 22% ઘટી ત્રણ વર્ષના તળિયે વેપારખાધ ઘટીને $20.3 અબજ

વૈશ્વિક સ્તરે ખાસ કરીને યુએસ અને યુરોપના માર્કેટમાં સ્લોડાઉનને કારણે વૈશ્વિક માંગ ઘટતા દેશની નિકાસ જૂન દરમિયાન 22% ઘટીને $32.97 અબજ સાથે 3 વર્ષના નીચલા સ્તરે નોંધાઇ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર જૂનમાં આયાત-નિકાસમાં ઘટાડો થવાને કારણે વેપાર ખાધ પણ ઘટીને $20.3 અબજ નોંધાઇ છે જે અગાઉ $22.07 અબજ હતી.

આયાત પણ 17.48% ઘટીને $53.10 અબજ નોંધાઇ હતી. મે 2020 દરમિયાન કોવિડ-19 મહામારીની અસરને કારણે નિકાસ 36.47% ઘટી હતી. વાણિજ્ય સચિવ સુનિલ બાર્થવાલે જણાવ્યું હતું કે ટ્રેડ સેક્ટરનો ગ્રોથ વૈશ્વિક પરિબળો પર નિર્ભર હોય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને જે રીતે વૈશ્વિક વેપારમાં સ્લોડાઉનની આશંકા વ્યક્ત કરી હતી તે ડર હવે સાચો સાબિત થઇ રહ્યો છે. વેપારમાં મંદીના કારણ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે યુએસ, યુરોપ જેવા મહત્વના માર્કેટમાં સ્લોડાઉન છે અને ત્યાં ફુગાવાનું દબાણ પણ વધી રહ્યું છે. કેટલાક અમીર દેશોમાં સખત નાણાકીય નીતિને પગલે પણ મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસને અસર થવાને કારણે સ્લોડાઉન જોવા મળ્યું હતું. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આગામી મહિનામાં માંગમાં તેજી જોવા મળશે તેવી અપેક્ષા રાખે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow