સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 49157 વિદ્યાર્થીની 5 એપ્રિલથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 49157 વિદ્યાર્થીની 5 એપ્રિલથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજી સેમેસ્ટર-6 અને પીજીના સેમેસ્ટર-4 સહિતના જુદા જુદા 43 કોર્સની આગામી 5 એપ્રિલથી પરીક્ષા લેવાનાર છે. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 49,157 વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાં કેન્દ્ર ફાળવી દેવાયા છે અને પરીક્ષા માટે ઓબ્ઝર્વર પણ મોકલવામાં આવનાર છે.

પરંતુ યુનિવર્સિટીની પરીક્ષામાં સૌથી મોટી મુશ્કેલી પેપર ઓનલાઈન અને પરીક્ષાના એક કલાક પહેલાં પહોંચાડવાના છે. હજુ પણ યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષામાં પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવશે કારણ કે ઓનલાઈન પેપર મોકલવાની સચોટ અને નક્કર સિસ્ટમ હજુ સુધી અમલી થઇ નથી.

5 એપ્રિલથી જે પરીક્ષા શરૂ થવાની છે તેમાં સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-6 રેગ્યુલરના 16,293 વિદ્યાર્થી, બીએ સેમેસ્ટર-6 રેગ્યુલરના 10,901, બીએસસી સેમેસ્ટર-6ના 3011, બીસીએ સેમેસ્ટર-6ના 2981, બીબીએ સેમેસ્ટર-6ના 2478, એલએલબી સેમેસ્ટર-6ના 1637, એમ.કોમ સેમેસ્ટર-4ના એક્સટર્નલના 2163 અને રેગ્યુલરના 1143, એમએ ઓલ સેમેસ્ટર-4ના 1738, બીએ સેમેસ્ટર-6 એક્સટર્નલના 2805 વિદ્યાથીઓ પરીક્ષા આપવાના છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow