હરીફને સંસ્કૃતિ વિરોધી, અલગતાવાદ તરફી ગણાવીને એર્દોગને ચૂંટણી જીતી

હરીફને સંસ્કૃતિ વિરોધી, અલગતાવાદ તરફી ગણાવીને એર્દોગને ચૂંટણી જીતી

તૂર્કિયેમાં રેસેપ તૈયપ એર્દોગન ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. રવિવારે યોજાયેલા રન-ઓફ રાઉન્ડમાં તેમને 52.18% વોટ મળ્યા હતા. તૂર્કિયેના ગાંધી તરીકે જાણીતા તેમના હરીફ કમલ કિલિદારોગ્લુને 47.82% મત મળ્યા હતા. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ચૂંટણી જીતવા માટે એર્દોગને વિપક્ષી નેતા વિરુદ્ધ સમગ્ર સરકારી તંત્રનો ઉપયોગ કર્યો. સાથે તેમણે જૂની વ્યૂહરચનાને પણ દોહરાવી હતી. તેમણે વિપક્ષની નીતિઓને તૂર્કિયેની સંસ્કૃતિનો નાશ કરનાર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણાવી હતી. વિરોધી કમલ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (PKK)ને સમર્થન આપે છે. એર્દોગને એક કથિત વીડિયો પણ વાયરલ કર્યો હતો.

બીજી તરફ એર્દોગનને ટેકો આપતી ખાનગી ન્યૂઝ ચેનલોએ ફક્ત એર્દોગનના પક્ષ જ સમાચાર બતાવ્યા હતા. આ દાવપેચના કારણે કિલિડારોગ્લુને મીડિયાથી દુર કરાયા હતા. અંતે, એર્દોગને લાખો શરણાર્થીઓને દેશનિકાલ કરવાનું વચન આપ્યું હતું અને પીકેકે સાથે વાટાઘાટો ન કરવાની વાત કહી હતી. જેથી કટ્ટરવાદીઓનો વિચાર બદલાઈ ગયા હતા. જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં એર્દોગનને સિનાન ઓગનને પોતાના પક્ષની તરફેણમાં કર્યા હતા.

એર્દોગને શરબત અને બ્રેડ પણ વેચ્યાં, ડિગ્રી વિવાદમાં
ફેબ્રુઆરી 1954માં જન્મેલા એર્દોગનના પિતા તૂર્કી કોસ્ટ ગાર્ડમાં હતા. તેઓ ઈસ્તાંબુલમાં સ્થાયી થયા. પૈસા કમાવા માટે એર્દોગન લીંબુ પાણી અને બ્રેડ વેચતા હતા. ઈસ્તાંબુલમાંથી મેનેજમેન્ટની ડિગ્રી લેતા પહેલા તેમણે એક ઈસ્લામિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમની ડિપ્લોમાની ડિગ્રી ઘણીવાર વિવાદોમાં રહી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow