એન્ટરપ્રાઇઝિસ અને ટ્રાન્સમિશન 21,000 કરોડનું ફંડ એકઠું કરશે

એન્ટરપ્રાઇઝિસ અને ટ્રાન્સમિશન 21,000 કરોડનું ફંડ એકઠું કરશે

અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ 41 હજાર કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ત્રણ કંપનીઓમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ સિવાય અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થાય છે. એન્ટરપ્રાઇઝ અને ટ્રાન્સમિશન બંને કંપનીઓના બોર્ડે શનિવારે (13 મે) બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે.

એન્ટરપ્રાઇઝિસ રૂ. 12,500 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બીજી તરફ, અદાણી ટ્રાન્સમિશન રૂ. 8,500 કરોડનું ભંડોળ એકત્ર કરશે. આ રીતે બંને કંપનીઓ કુલ 21,000 કરોડ રૂપિયા એકત્ર કરશે. બંને કંપનીઓએ તેમની બોર્ડ મીટિંગ બાદ અલગ-અલગ સ્ટોક એક્સચેન્જ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી છે.

એન્ટરપ્રાઇઝિસ-ટ્રાન્સમિશન આ રીતે ભંડોળ એકત્ર કરશે
ફાઇલિંગમાં બંને કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) અને અન્ય અનુમતિપાત્ર મોડ્સ દ્વારા ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝનું વેચાણ કરીને ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

ગ્રીન એનર્જીની બોર્ડ મીટિંગ 24 મેના રોજ મળશે
આ દરમિયાન અદાણી ગ્રીન એનર્જીએ ફંડ એકત્ર કરવાની યોજના પર વિચારણા કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકની તારીખ લંબાવીને 24 મે કરી છે. અગાઉ આ બેઠક આજે એટલે કે શનિવાર, 13 મેના રોજ યોજાવાની હતી. થોડા દિવસો પહેલા બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે ત્રણેય કંપનીઓ 5 બિલિયન ડોલર એટલે કે 41,000 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow