જિલ્લાની 491 પ્રાથમિક શાળામાં આધુનિકતા સાથે શિક્ષણ અપાશે

જિલ્લાની 491 પ્રાથમિક શાળામાં આધુનિકતા સાથે શિક્ષણ અપાશે

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હેઠળ 11 તાલુકાની 491 શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડી શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરી શ્રેષ્ઠ શાળાઓ બનાવવામાં આવશે.

શિક્ષણની ગુણવતા સુધારવા સહિત ભૌતિક સુવિધાઓમાં પરિવર્તન લાવવા સાથે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધા સાથોસાથ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને સ્કુલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આધુનિક ભણતર થકી કારકિર્દી ઘડી શકે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં તાલુકાઓની જુદી જુદી 491 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, રમત ગમતના સાધનો, વર્ગખંડમાં સુધારા, સહિતની ભૌતિક સુવિધાઓમાં વધારો કરી શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરવા માટેનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં 35, ગોંડલમાં 67, જામકંડોરણામાં 18, જસદણમાં 69, જેતપુરમાં 38, કોટડા સાંગાણીમાં 27, લોધીકામાં 21, પડધરીમાં 29, રાજકોટમાં 86, ઉપલેટામાં 43 અને વિંછીયા તાલુકામાં 58 પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકારના સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ હેઠળ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે.

સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 120થી વધારે હોય તેવી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ આ તમામ શાળાઓમાં સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ હેઠળ જરૂરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અશોક વાણવીએ જણાવ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow