સુરતમાં બાળકીને ધબાકા મારવાની ઘટનાના પડઘા

સુરતમાં બાળકીને ધબાકા મારવાની ઘટનાના પડઘા

સુરતની શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના બાદ શિક્ષણ નિયામકે પરિપત્ર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, બાળકોને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપનાર શાળાને પ્રથમવાર 10 હજાર બાદમાં 25 હજાર દંડ થશે. શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના પરિપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં આવેલી તમામ એટલે કે સરકારી, જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી, અનુદાનિત અને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા, સી.બી.એસ.ઈ, આઇ.સી.એસ.ઈ. કે કોઇપણ બોર્ડ સાથે સંકળાયેલ કોઇપણ માધ્યમની શાળાઓના બાળકને શાળાના શિક્ષક અથવા આચાર્ય-સંચાલક કોઇપણ કારણે શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેનો તમામ સંબંધિતોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, ઉલ્લંઘન થતું માલૂમ પડશે, રજૂઆત કે ફરીયાદ મળશે અને તથ્ય જણાશે તો તે વ્યક્તિ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

બાળકનો શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવા બદલ શાળાઓને પ્રથમ વખતે 10 હજાર અને તે પછી દરેક અનિયમિતતા દીઠ 25 હજાર રૂપિયા દંડ લેવાશે. અંતિમ પગલા તરીકે શાળા નિર્દેશ કરેલ અનિયમિયતાઓ પાંચ વખત કરે તો શાળા સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરાશે. જે તે શિક્ષક સામે પણ શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow