દયાભાભી'ને યાદ કરીને દુ:ખી થયા 'જેઠાલાલ!

દયાભાભી'ને યાદ કરીને દુ:ખી થયા 'જેઠાલાલ!

તાજેતરમાં ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ એની સફરના 17 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ સફળતાની ઉજવણી કરવા માટે નિર્માતાઓ દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શો સાથે સંકળાયેલા તમામ કલાકારોએ ભાગ લીધો હતો. આ સેલિબ્રેશન ગોરેગાંવ ફિલ્મ સિટીમાં TMKOC ઇન્ટીરિયર સેટ પર યોજાયું હતું.

શોના નિર્માતા અસિત મોદી, એક્ટર દિલીપ જોશી (જેઠાલાલ), મુનમુન દત્તા (બબીતાજી), અમિત ભટ્ટ (બાપુજી), તનુજ મહાશબ્દે (અય્યર), સચિન શ્રોફ (તારક મહેતા) અને અન્ય ચહેરાઓ પણ ઉજવણીમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન કલાકારોના પરિવારના સભ્યો પણ સેટ પર હાજર રહ્યા હતા. દિલીપ જોશી અને અન્ય કલાકારોનાં માતા-પિતા અને પરિવારના સભ્યોએ સાથે મળીને કેક કાપી હતી.

આ ઉજવણી દિલીપ જોશી (જેઠાલાલ) માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે તેમનાં માતા-પિતા પણ આ યાદગાર ક્ષણનાં સાક્ષી હતાં. દિલીપ જોશી અહીં શોની જેમ જ તેમના રિયલ લાઈફ 'બાપુજી'ની સેવા કરતા જોવા મળ્યા હતા. દિલીપ જોશીનો એક વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ તેમના પિતાની સંભાળ રાખતા જોવા મળે છે. વૃદ્ધાવસ્થાને કારણે તેમના પિતાને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેઓ લાકડીના ટેકાથી ધીમે ધીમે ચાલી રહ્યા હતા. આ સમય દરમિયાન એક સંસ્કારી દીકરાની જેમ દિલીપ જોશીએ તેમના પિતાનો હાથ પકડીને તેમને ચાલવામાં મદદ કરી. દિલીપ જોશી સેલિબ્રેશનની દરેક ક્ષણ પડછાયાની જેમ તેમના પિતા સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ દિલીપ જોશીનાં વખાણ કરતા થાકતા નથી. તેઓ એક્ટરનાં મૂલ્યોની પ્રશંસા કરતા જોવા મળ્યા. દિલીપ જોશીને 'બેસ્ટ સન'નું ટેગ આપવામાં આવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow