ધાર્મિક સ્કૂલોમાં બાળકોને રાખવાની પરિવારોની ફરજ

ધાર્મિક સ્કૂલોમાં બાળકોને રાખવાની પરિવારોની ફરજ

અમેરિકામાં આધુનિક અને ધર્મનિરપેક્ષ શિક્ષણ આપવાના કાયદા બાદ પણ ધાર્મિક શિક્ષણ આપી રહેલી સ્કૂલોમાં અભ્યાસ કરી રહેલાં બાળકો આધુનિક શિક્ષણથી વંચિત છે. માતા-પિતા કેટલાક પ્રકારના દબાણમાં બાળકોને આવી સ્કૂલોમાંથી અન્યત્ર મૂકી રહ્યાં નથી. આમાં કેટલીક વખત તો ખોટી બાબતો બાળકોને શીખવાડવામાં આવે છે.

બીટ્રિસ વેબર યહૂદી સમુદાયની સ્કૂલ યેશિવામાં અભ્યાસ કરી રહેલા બાળક આરોનના ભવિષ્યને લઇને ચિંતિત છે. 10 વર્ષીય આરોન હોશિયાર વિદ્યાર્થી અને ધગશવાળો છે. તે નાસાની સાથે કામ કરવા ઇચ્છુક છે પરંતુ યહૂદી સમુદાયની ન્યુયોર્ક સ્થિત અન્ય હસીદી સ્કૂલોની જેમ તેની સ્કૂલમાં પણ નહીવત રીતે જ અંગ્રેજી, ગણિત અને કેટલાક અંશે વિજ્ઞાનનું શિક્ષણ અપાય છે. તે બાળકોને યહૂદી ધર્મના જ એક સમુદાય હસીદીનાં મૂલ્યોનું શિક્ષણ આપે છે.

યહૂદી કાયદા અને પ્રાર્થનાને સર્વોચ્ચ માને છે. વેબર કહે છે કે આરોનની ટીચરે કહ્યું હતું કે ગ્રહો, પૃથ્વીની ચારેબાજુ પરિક્રમા કરે છે. (હકીકતમાં પૃથ્વી અન્ય ગૃહોની સાથે સૂર્યની પરિક્રમા કરે છે) માતા-પિતા સામાજિક દબાણમાં ઇચ્છા હોવા છતાં બાળકોને ધર્મનિરપેક્ષ શિક્ષણ અપાવી શકતાં નથી. હસીદી નેતા બાળકોના જન્મથી પહેલાં લગ્ન પૂર્વની સમજુતીમાં જ યેશિવામાં તેમનું શિક્ષણ નક્કી કરી દે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow