જાન લઈને નીકળ્યાં દુલ્હેરાજા, ઘર બહાર જોયું એવું કે મચ્યો હડકંપ, પરણવાની ના પાડી દીધી

જાન લઈને નીકળ્યાં દુલ્હેરાજા, ઘર બહાર જોયું એવું કે મચ્યો હડકંપ, પરણવાની ના પાડી દીધી

હાપુડમાં એક યુવક એકતરફી પ્રેમમાં એટલો અંધ બની ગયો કે તેણે વરરાજાને ધમકી આપી. તેણે વરરાજાને જાન લઈને તેની માશૂકના ઘેર ન જવાની ચેતવણી આપી છે. માથાફરેલ યુવાને એક પત્ર લખીને દુલ્હાને મારી નાખવાની ધમકી આપી હતી અને હવે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માથાફરેલ યુવકે  આ પત્ર વરરાજાના ઘરની બહારની દિવાલ પર ચીપકાવ્યો હતો. હવે વરરાજાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
મોન્ટીસિંહના લગ્નની જાન 18  ફેબ્રુઆરીએ ગઢમુક્તેશ્વર તહસીલ વિસ્તારમાં જવાની હતી લગ્નનો વરઘોડો નીકળે તે પહેલા જ એક શખ્સ વરરાજાના ગામ પહોંચી ગયો હતો અને ધમકીભર્યો પત્ર આપ્યો હતો.

પત્ર લખીને આપી ધમકી
વરરાજાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં માથાફરેલ શખ્સે દુલ્હાને ધમકી આપતા લખ્યું કે કાન ખોલીને સાંભળી લેજે, કરિશ્મા મારી છે... જાન લઈને ન આવતો નહિતર, તું નહિ બચે. હું જાનને સ્મશાનગૃહમાં ફેરવીશ. એટલું જ નહીં આરોપી યુવકે લગ્ન પ્રસંગને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જે ભાઈને જમણવારની સાથે ગોળી ખાવી હોય તે જાનમાં આવે. આરોપીએ કહ્યું કે આ તો ટ્રેલર છે, આખી ફિલ્મ તો લગ્નમાં ભજવાશે. માથાફરેલા યુવાને દુલ્હાના ઘરની બહાર કાગળ ચીપકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં દુલ્હાને પહેલા તો લગ્નની ના પાડી દીધી હતી અને તેઓ બધા પોલીસમાં પહોંચ્યાં હતા અજાણ્યા સામે ફરિયાદ લખાવી હતી.

શું હતી ઘટના
હાપુડમાં એક યુવાનને કરિશ્મા નામની એક છોકરી સાથે એકતરફી પ્રેમ થયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ છોકરીને તે પસંદ નહોતો આ દરમિયાન કરિશ્માના બીજે લગ્ન નક્કી થતા માથાફરેલ યુવાને વરરાજાના ગામમાં પહોંચી ગયો અને તેને કરિશ્મા સાથે લગ્ન ન કરવાની ધમકી આપી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow