મોસ્કો પર ડ્રોન એટેક

મોસ્કો પર ડ્રોન એટેક

યુક્રેન અને રશિયા વચ્ચે જારી યુદ્ધ હવે રશિયન પાટનગર મોસ્કો સુધી પહોંચી ગયું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન હુમલા શરૂ કર્યા છે. તેના જવાબમાં મંગળવારે વહેલી પરોઢે યુક્રેને સૌથી મોટી જવાબી કાર્યવાહી કરીને રશિયાની રાજધાની મોસ્કોમાં આઠથી પણ વધારે ડ્રોન હુમલા કર્યા હતા. મોસ્કોમાં રહેવાસી વિસ્તારોમાં યુક્રેન તરફથી પણ પ્રથમ વખત હુમલા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે આ હુમલાના કારણે કેટલીક ઇમારતોને નુકસાન થયું છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે હુમલામાં નુકસાનગ્રસ્ત થયેલી બે ઇમારતોમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. રશિયન સૂત્રોએ કહ્યું છે કે હુમલા કરનાર ડ્રોન કીવ તરફ મોકલવામાં આવ્યા હતા. જોકે, તમામને ફૂંકી મારવામાં આવ્યા છે. આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી હુમલા બાદ મોસ્કો પર કરાયેલો સૌથી ભીષણ અને મોટો હુમલો છે.

મોસ્કોની ઇમારતોને નુકસાન થયું
રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં મંગળવારે વહેલી પરોઢે હુમલા કર્યા હતા. છેલ્લા 24 કલાકમાં કીવ પર રશિયાએ ત્રીજી વખત હુમલો કર્યો છે. આકાશમાં રશિયન ડ્રોન અને ભીષણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. કીવના સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે શરૂઆતી આંકડા મુજબ કીવનાં વિમાની ક્ષેત્રમાં હવાઇદ‌ળના જવાનોએ 20થી વધુ શાહિદ ડ્રોન ( ઇરાની ડ્રોન)ને ફૂંકી માર્યા છે. યુક્રેનની સેનાએ કહ્યું છે કે, રશિયન દળોએ કીવ પર સવારે 11 વાગે બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો ઝીંકી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow