ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડો. ઉપાધ્યાયની ભરતી ગેરકાયદે!

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડો. ઉપાધ્યાયની ભરતી ગેરકાયદે!

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી જ ગેરકાયદે હોવાની હવે સીએમઓમાં ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ સીએમઓમાં ફરિયાદ કરી ડૉ. અમી ઉપાધ્યાયની નિમણૂકની કાયદેસરતા ચકાસવા માંગણી કરી છે. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી જ ગેરકાયદે છે પરંતુ છતાં તેમને કુલપતિ બનાવી દેવાયા છે.

જો કે આ સમગ્ર વિવાદને અત્યાર સુધીમાં બે સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષણ વિભાગે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા આખરે હવે આ સમગ્ર વિવાદ સીએમઓ સુધી પહોંચ્યો છે. એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ સીએમઓમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો.અમી ઉપાધ્યાયની અંગ્રેજી ભવનમાં પ્રોફેસર નિયુક્તિ થયેલી છે. તેઓની નિયુક્તિ વખતે પ્રોફેસરની લાયકાતમાં 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ, પીએચ.ડી.ના ગાઈડ હોવું સહિત યુ.જી.સી. મુજબના લાયકાતના ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીની નિષ્ણાતોની પહેલી કમિટી તા.5/12/2012ના રોજ મળી હતી, જેમાં તજજ્ઞ તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અંગ્રેજી વિષયના જ પ્રોફેસર એક સભ્ય તરીકે હતા. જેમાં અમી ઉપાધ્યાયને ‘નોટ ક્વોલિફાઈડ’ જાહેર કર્યા હતા. ત્યારબાદ 11/3/2013ના રોજ જુદા લોકોને બોલાવીને અમી ઉપાધ્યાય લાયકાત ધરાવે છે તેવો રિપોર્ટ લેવામાં આવ્યો. તો સત્વરે આ અંગે તપાસ કરી રેકોર્ડ કબજે લઈ તેઓના કાર્યકારી કુલપતિના હોદા પરથી દૂર કરવા જોઈએ. જેથી હોદાનો દુરુપયોગ કરી રેકોર્ડ સાથે ચેડાં ન કરે કે કરાવે. આ ઉપરાંત જ્યારે સમિતિ તપાસ માટે રૂબરૂ બોલાવશે ત્યારે રૂબરૂ આવીને આ બધા જ આધારો ૨જૂ કરી શકું તેમ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow