નિષ્ફળતા બાદ અટકશો નહીં, ભૂલ થવા પર સજા કે અપમાનના ડર વિના નવી શરૂઆત તરફ આગળ વધો

નિષ્ફળતા બાદ અટકશો નહીં, ભૂલ થવા પર સજા કે અપમાનના ડર વિના નવી શરૂઆત તરફ આગળ વધો

આપણામાંથી મોટા ભાગના લોકો નિષ્ફળતાથી બચવાનો પ્રયાસ કરે છે અને જ્યારે વાત બગડી જાય છે ત્યારે શરમ અનુભવે છે. પરંતુ મહિલાઓની પ્રખ્યાત શેપવેર બ્રોન્ડ કંપની સ્પેન્ક્સના સ્થાપક સારા બ્લેકલી, સાથે આવું નથી. તે જ્યારે કોઈ કેમ્પેન, કોન્ટ્રાક્ટ કે પછી બ્રાન્ડ પ્રમોશનમાં નિષ્ફળ જાય છે, તો પણ એ જ રીતે ઉત્સાહિત રહે છે અને આત્મવિશ્વાસ ગુમાવતાં નથી. સારાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેના પિતાએ નિષ્ફળ જવા પર પણ પ્રોત્સાહન આપ્યું. તેઓ કહેતાં કે આનાથી ડરવાની જરૂર નથી.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં લીડરશિપના પ્રોફેસર એમી એડમન્ડસન મુજબ નિષ્ફળતા પછી શરમાવાને બદલે આગળ વધવા કે દિશા બદલવા માટે તમે શું કરી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ભૂલ થવાના કિસ્સામાં પણ ઓફિસમાં સજા કે અપમાનના જોખમ વિના બોલી શકો છો. તેના પ્રમાણે આપણે જ્યારે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણું મગજ વિનાશકારી થઈ જાય છે, જ્યારે વાસ્તવિક ભયની શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા સમાપ્ત થઈ જાય છે. પરંતુ નિષ્ફળતાઓને જરૂરી અને અર્થપૂર્ણ જીવનના અનુભવો તરીકે ફરી વ્યાખ્યાયિત કરી શકાય છે.

કઈ રીતે નુકસાન થયું, તેના બદલે તથ્યો તપાસવા પોતાની જાતને પૂછો કે મેં શું કરવાનું નક્કી કર્યું હતું અને ખરેખર શું થયું. સુધારાનો અવકાશ ક્યાં છે? વિનમ્રતા અને પ્રામાણિકતા નિષ્ફળતાની માનસિકતાના બે આવશ્યક તત્ત્વો છે. આપણે ઘણીવાર ભૂલ કર્યાં પછી અન્યોથી બચવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ રીત યોગ્ય નથી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow