નિષ્ફળતા બાદ અટકશો નહીં, ભૂલ થવા પર સજા કે અપમાનના ડર વિના નવી શરૂઆત તરફ આગળ વધો

નિષ્ફળતા બાદ અટકશો નહીં, ભૂલ થવા પર સજા કે અપમાનના ડર વિના નવી શરૂઆત તરફ આગળ વધો

આપણામાંથી મોટા ભાગના લોકો નિષ્ફળતાથી બચવાનો પ્રયાસ કરે છે અને જ્યારે વાત બગડી જાય છે ત્યારે શરમ અનુભવે છે. પરંતુ મહિલાઓની પ્રખ્યાત શેપવેર બ્રોન્ડ કંપની સ્પેન્ક્સના સ્થાપક સારા બ્લેકલી, સાથે આવું નથી. તે જ્યારે કોઈ કેમ્પેન, કોન્ટ્રાક્ટ કે પછી બ્રાન્ડ પ્રમોશનમાં નિષ્ફળ જાય છે, તો પણ એ જ રીતે ઉત્સાહિત રહે છે અને આત્મવિશ્વાસ ગુમાવતાં નથી. સારાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેના પિતાએ નિષ્ફળ જવા પર પણ પ્રોત્સાહન આપ્યું. તેઓ કહેતાં કે આનાથી ડરવાની જરૂર નથી.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં લીડરશિપના પ્રોફેસર એમી એડમન્ડસન મુજબ નિષ્ફળતા પછી શરમાવાને બદલે આગળ વધવા કે દિશા બદલવા માટે તમે શું કરી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ભૂલ થવાના કિસ્સામાં પણ ઓફિસમાં સજા કે અપમાનના જોખમ વિના બોલી શકો છો. તેના પ્રમાણે આપણે જ્યારે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણું મગજ વિનાશકારી થઈ જાય છે, જ્યારે વાસ્તવિક ભયની શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા સમાપ્ત થઈ જાય છે. પરંતુ નિષ્ફળતાઓને જરૂરી અને અર્થપૂર્ણ જીવનના અનુભવો તરીકે ફરી વ્યાખ્યાયિત કરી શકાય છે.

કઈ રીતે નુકસાન થયું, તેના બદલે તથ્યો તપાસવા પોતાની જાતને પૂછો કે મેં શું કરવાનું નક્કી કર્યું હતું અને ખરેખર શું થયું. સુધારાનો અવકાશ ક્યાં છે? વિનમ્રતા અને પ્રામાણિકતા નિષ્ફળતાની માનસિકતાના બે આવશ્યક તત્ત્વો છે. આપણે ઘણીવાર ભૂલ કર્યાં પછી અન્યોથી બચવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ રીત યોગ્ય નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow