શિક્ષકના મારથી ગભરાઈ ગયેલા નિદ્રાધીન બાળકને માતાએ સ્પર્શ કરતાં જ તે બોલ્યો ‘મને મારતા નહીં’

શિક્ષકના મારથી ગભરાઈ ગયેલા નિદ્રાધીન બાળકને માતાએ સ્પર્શ કરતાં જ તે બોલ્યો ‘મને મારતા નહીં’

આનંદનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતાં બાળકને તેની સ્કૂલના શિક્ષકે ફૂટપટ્ટીથી માર મારતા ઘવાયેલા બાળકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકને 10 દિવસથી ફટકારવામાં આવતો હોવાનો તેની માતાએ આક્ષેપ કર્યો હતો.

કોઠારિયા રોડ પરના આનંદનગરના અજંતાપાર્કમાં રહેતા ક્રેનિલ કમલેશભાઇ સોમાણી (ઉ.વ.12)ને શનિવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ક્રેનિલની માતા સલમાબેને હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ કહ્યું હતું કે, ક્રેનિલને શુક્રવારે સવારે શુભમ સ્કૂલના શિક્ષક જયદીપ ગઢિયાએ ફૂટપટ્ટી મારતા ક્રેનિલને ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી.

સલમાબેને જણાવ્યું હતું કે, ક્રેનિલ સાધના સોસાયટીમાં આવેલી શુભમ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે, શુક્રવારે સાંજે સલમાબેન પોતાની નોકરી પૂરી કરીને ઘરે પહોંચ્યા હતા ત્યારે પુત્ર ક્રેનિલ સૂતો હતો, પુત્રના માથા પર સ્નેહથી હાથ મૂકતાં જ ક્રેનિલ ઝબકીને જાગી ગયો હતો અને મને મારતા નહીં તેવું બોલવા લાગ્યો હતો.

પુત્રની હરકતથી ગભરાઇ ગયેલા સોમાણી પરિવારે આ અંગે ક્રેનિલના સાથી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં જ શિક્ષકનો ત્રાસ હોવાનું બહાર આવ્યું હતું. સલમાબેને કહ્યું હતું કે, શુભમ સ્કૂલના શિક્ષક જયદીપ ગઢિયા છેલ્લા દશ દિવસથી ક્રેનિલને બંને હાથ પર ફૂટપટ્ટી ફટકારતા હતા, ડરી ગયેલા ક્રેનિલે આ અંગેકોઇને જાણ કરી નહોતી. શિક્ષક જયદીપ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓને પણ અવારનવાર મારકૂટ કરતો હોવાનો સલમાબેને આક્ષેપ કર્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow