સ્થાનિક માગ યથાવત્ રહેશે, મંદીનો અણસાર નથી: નિષ્ણાતો

સ્થાનિક માગ યથાવત્ રહેશે, મંદીનો અણસાર નથી: નિષ્ણાતો

વદેશમાં ડિસેમ્બર ક્વાર્ટરના નબળા આંકડા બાદ મંદીની શક્યતાને વોલ સ્ટ્રીટ બ્રોકરેજે નકારી કાઢી છે અને કહ્યું છે કે બેઝ ઇફેક્ટને કારણે આંકડાઓ સામાન્ય છે અને જાન્યુઆરીના ડેટા દર્શાવે છે કે સ્થાનિક માંગ હજુ પણ અકબંધ છે.

મોર્ગન સ્ટેનલી ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી ઉપાસના ચાચરા અનુસાર બાહ્ય માંગમાં સ્લોડાઉન, નિકાસમાં ઘટાડા જેવા પરિબળોને કારણે સ્થાનિક માંગ સૂચકાંકોમાં જોવા મળેલા મિશ્ર ટ્રેન્ડને કારણે ડિસેમ્બરના આંકડાઓમાં સુસ્તી જોવા મળી છે. બ્રોકરેજ ફર્મ અનુસાર નાણાકીય વર્ષ 2024 દરમિયાન 6.2 ટકાનો જીડીપી ગ્રોથનો આશાવાદ ધરાવે છે. જે અગાઉ 6 ટકાની ધારણા હતી. ખાસ કરીને સ્થાનિગ માંગને કારણે ગ્રોથ મોમેન્ટમ જળવાયેલું રહેશે.

બજેટમાં આગામી નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથને લઇને કોઇ ચોક્કસ આંકડા આપવામાં આવ્યા નથી ત્યારે અંદાજ છે કે તે GDP 6 થી 6.5 ટકાની રેન્જમાં રહી શકે છે. જ્યારે RBIએ તેના તાજેતરના મૂલ્યાંકન રિપોર્ટમાં આગામી નાણાકીય વર્ષમાં ભારત 6.4 ટકાનો આર્થિક વૃદ્ધિ નોંધાવે તેવી ધારણા વ્યક્ત કરી છે. છેલ્લા ક્વાર્ટર દરમિયાન ગ્રોથ ડેટામાં મિશ્ર ટ્રેન્ડ અનુસાર સ્લોડાઉનના કેટલાક સંકેતો હતો. પરંતુ અર્થશાસ્ત્રીઓ તેના માટે બેઝ ઇફેક્ટ અને તહેવારોને જવાબદાર ગણાવે છે.

ખાનગી વપરાશ 1.8%થી વધીને 9.7 ટકા
જાન્યુઆરી, 2023 દરમિયાન ખાનગી વપરાશ વધીને 9.7 ટકા પર જોવા મળ્યો છે. જે સપ્ટેમ્બર, 2022 દરમિયાન માત્ર 1.8 ટકા હતો. જ્યારે ત્રણ વર્ષના CAGRના ધોરણે, તે 3.3 ટકાથી વધીને 3.6 ટકા થયો છે. ખાસ કરીને દેવામાં ઘટાડો તેમજ બચતમાં વધારાના ટ્રેન્ડને કારણે આવકની બેલેન્સ શીટ વધુ મજબૂત બની છે જેને કારણે વપરાશને પણ વેગ મળશે.



 

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow