10માંથી 9 લોકોમાં મહિલા પ્રત્યે ભેદભાવ!

10માંથી 9 લોકોમાં મહિલા પ્રત્યે ભેદભાવ!

સંયુક્ત રાષ્ટ્રના જેન્ડર સોશિયલ નોર્મ્સ ઈન્ડેક્સમાં જાણવા મળ્યું છે કે દસમાંથી નવ લોકો મહિલાઓ પ્રત્યે ભેદભાવની ભાવના રાખે છે. આ ઇન્ડેક્સ 2017થી 2022 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર તૈયાર કરવામાં આવ્યો છે. આ મુજબ 25% પુરુષો પોતાની પત્નીને મારવામાં કોઈ દુષ્ટતા સમજતા નથી. 80 દેશોમાં અડધા લોકો માને છે કે પુરુષો વધુ સારા રાજનેતા હોય છે. 40%નું કહેવું છે કે પુરુષો વધુ સારા બિઝનેસ એક્ઝિક્યુટિવ સાબિત થાય છે.

આ રિપોર્ટ 2005 અને 2014 વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટા પર 2020માં બહાર પાડવામાં આવેલા ઇન્ડેક્સ જેવો છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના પ્રમુખ, પેડ્રો કોન્સિકો કહે છે કે તેમને આશા હતી કે અમને થોડી પ્રગતિ જોવા મળશે, પરંતુ તે કેવી રીતે ખરાબ હોઈ શકે?

ત્યાં જ મહિલાઓ માટે સમાનતાના મામલે અગ્રણી યુરોપિયન દેશ જર્મનીમાં થયેલા એક સરવેમાં પુરુષોની રૂઢિચુસ્ત વિચારસરણીએ જેન્ડર સમાનતા માટે કામ કરતી સંસ્થાઓને ચિંતામાં મૂકી દીધી છે. જર્મનીમાં 18-35 વર્ષની એક હજાર મહિલાઓ અને એક હજાર પુરુષો પર પ્લાન ઈન્ટરનેશનલ જર્મનીના ઓનલાઈન સરવેમાં સામે આવ્યું છે કે ત્રીજા ભાગના 33% પુરુષોએ ક્યારેક-ક્યારેક મહિલાઓ પર હાથ ઉગામવાનું છોડી દેવાનું સ્વીકાર્ય માન્યું છે. 34% એ સ્વીકાર્યું કે “સન્માન જાળવવા” માટે ક્યારેક-ક્યારેક દલીલ દરમિયાન તેમની પાર્ટનર સાથે હિંસા કરી ચૂક્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow