દિલીપ કુમારની બહેન ફરીદા હોસ્પિટલમાં એડમિટ

દિલીપ કુમારની બહેન ફરીદા હોસ્પિટલમાં એડમિટ

બોલિવૂડના દિવંગત એક્ટર દિલીપ કુમારની નાની બહેન ફરીદાની તબિયત ગંભીર છે. તેઓ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમા એડમિટ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફરીદાના ભત્રીજા સાકિબ (મહબૂબ ખાનનો પૌત્ર), ઈમરાન તથા સાયરાબાનો હોસ્પિટલમાં ફરીદાની દેખરેખ રાખે છે.

તબિયતમાં સુધારો થઈ રહ્યો છે
ઇ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, ફરીદાની તબિયત ઘણી જ ખરાબ હતી, પરંતુ 22 નવેમ્બરથી તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેઓ છેલ્લાં સાત દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાયરા સતત કોકિલાબેન હોસ્પિટલમાં આવ-જા કરે છે. જોકે, તેમની તબિયત પણ હવે સારી રહેતી નથી. દિલીપ કુમારના અવસાન બાદ તેમની તબિયત લથડી છે. તેમના માટે રોજ બાંદ્રાથી અંધેરી સુધીની સફર સરળ નથી.

ગયા વર્ષે સાયરાબાનોને ICUમાં એડમિટ કરવામાં આવ્યા હતા
ગયા વર્ષે સાયરાબાનોને હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તે સમયે તેમની હાલત ઘણી જ સીરિયસ હતી. તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારના અવસાન બાદ સાયરાબાનો ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.

સાયરાબાનોએ દિલીપ કુમાર સાથે 1966માં લગ્ન કર્યા હતા
સાયરાએ 1961માં ફિલ્મ 'જંગલી'થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શમ્મી કપૂર હતા. ત્યારબાદ તે 'બ્લફ માસ્ટર', 'ઝૂક ગયા આસમાન', 'આઈ મિલન કી બેલા', 'પ્યાર મોહબ્બત'. 'વિક્ટોરિયા નંબર 203', 'આદમી ઔર ઈન્સાન' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. સાયરા તથા દિલીપ કુમારે પણ સાથે કામ કર્યું હતું. બંનેએ 1966માં લગ્ન કર્યા હતા. 2021માં સાત જુલાઈના રોજ 98 વર્ષની ઉંમરમાં દિલીપ કુમારનું અવસાન થયું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow