ધુમ્મસના કારણે IND-SA ચોથી T20 મેચ રદ

ધુમ્મસના કારણે IND-SA ચોથી T20 મેચ રદ

ધુમ્મસના કારણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી T20 રદ કરી દેવામાં આવી છે. લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાવાની હતી, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે ટોસ પણ થઈ શક્યો નહીં. અમ્પાયરોએ 6 વાર સ્થિતિનું નિરીક્ષણ કર્યું, પરંતુ રાત્રે 9:30 વાગ્યા સુધી સ્થિતિમાં સુધારો ન થતા મેચ રદ કરી દેવામાં આવી. હવે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.

5 મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે. ભારતે પ્રથમ મેચ 101 રનથી જીતી હતી, ત્યારબાદ સાઉથ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી મેચમાં 51 રનથી જીતીને વાપસી કરી, પરંતુ ત્રીજી મેચમાં ધર્મશાલામાં ભારતે 7 વિકેટથી જીત મેળવીને ફરીથી લીડ મેળવી લીધી.

2 વર્ષ પહેલા 2023 વનડે વર્લ્ડ કપ દરમિયાન ધુમ્મસના કારણે ભારત-ન્યૂઝીલેન્ડ મેચને રોકવામાં આવી હતી. 15થી 20 મિનિટ માટે થોડા સમય સુધી મેચ રોકાયા બાદ મુકાબલો શરૂ થયો હતો. તે મુકાબલો ભારતે 4 વિકેટથી જીત્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow