ધોરાજી મોટી-નાની પરબડી, તોરણિયાના લોકોનો પાણી માટે રઝળપાટ

ધોરાજી મોટી-નાની પરબડી, તોરણિયાના લોકોનો પાણી માટે રઝળપાટ

ધોરાજી તાલુકાના મોટી પરબડી ,તોરણીયા, નાની પરબડી ગામના લોકોને પીવા માટે મીઠું પાણી મેળવવા પગે પાણી ઉતરી રહ્યા છે. પાણી મેળવવાં ભારે હાલાકી પડી રહી હોઇ, તંત્ર વાહકો દ્વારા પૂરતા પ્રેશરથી નર્મદા યોજનાનું પાણી પુરું પાડવા માગણી ઉઠી છે. ધોરાજી તાલુકાના મોટી પરબડી, તોરણીયા, નાની પરબડી ગામે જૂથ યોજનાનું પીવાનું પાણી અપૂરતાં પ્રેશરથી આપવામાં આવતું હોઇ, તે પુરું પડતું નથી અને લોકોને સંપ સુધી ધક્કો ખાવો પડી રહ્યો હોઇ, પુરતું પાણી આપવા માગણી ઉઠી છે.

અત્યારે નહીં તો પાણીની જરૂર ક્યારે પડે !
મોટી પરબડીના સરપંચ સુરેશભાઈએ જણાવ્યું હતું કે મોટી પરબડી સહિતના ગામોને પૂરતાં પ્રેશરથી જૂથ યોજનાનું પીવાનું પાણી મળતું નથી. ભર ઉનાળે પાણીની જરૂર હોય ત્યારે જ પાણી ન મળે તો કરવાનું શું! અમારી આ સમસ્યા બાબતે તંત્ર વાહકો ધ્યાન આપે અને માગણી સ્વીકારે તે જરૂરી છે. બીજી તરફ ગ્રામજનોએ પણ પાણી માટે પોકાર કર્યા હતા અને મીઠું પાણી આપવા માગણી કરી છે.

ચોકી ગામ પાસેથી પાણી આપો તો'ય સારું
તોરણીયાના સરપંચ અંકીતભાઈ પટેલે જણાવ્યું હતું કે ધોરાજી તાલુકાના અમારા આ ગામને નર્મદા યોજનાનું પીવાનું પાણી મળતું જ ન હોવાથી લોકોને જ્યારે ખરેખર જરૂર છે ત્યારે જ પાણી મળતું નથી. આથી તંત્ર દ્વારા તોરણીયા નજીક આવેલા જૂનાગઢ જિલ્લાના ચોકી ગામ પાસેથી નર્મદા યોજનાનું પીવાનૂું પાણી પૂરૂ પાડવામાં આવે તે આવશ્યક છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow