DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

ઉડ્ડયન નિયમનકાર DGCA એ અકાસા એરના 43 પાઇલટ્સે અચાનક નોકરી છોડી દેવાના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. ડીજીસીએએ કહ્યું કે તેની પાસે કોઈપણ રોજગાર કરારમાં દખલ કરવાની સત્તા નથી. Akasa Airએ DGCA પર આ વિવાદમાં કોઈ પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ DGCAનો આ જવાબ આવ્યો છે.

પાઇલોટ્સ નોટિસ આપ્યા વિના એરલાઇન છોડી ગયા બાદ અકાસાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. અકાસાએ કાનૂની ફાઇલિંગમાં કહ્યું હતું કે DGCAના હસ્તક્ષેપના અભાવને કારણે એરલાઇન નાણાકીય નુકસાન સાથે કામગીરી ચાલુ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અકાસા એરમાં, ફર્સ્ટ ઓફિસર્સ માટે નોટિસ પિરિયડ 6 મહિના અને કેપ્ટન્સ માટે 1 વર્ષ છે.

અકાસા દર મહિને 3,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે
એરલાઈન્સ અનુસાર, પાઈલટોના રાજીનામાને કારણે તેમને ઓગસ્ટમાં 18% એટલે કે 630 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. અકાસા દરરોજ 120 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. એટલે કે તે દર મહિને 3,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow