ગોંડલના મોટાદડવામાંથી 10 પાનાપ્રેમીની અટકાયત

ગોંડલના મોટાદડવામાંથી 10 પાનાપ્રેમીની અટકાયત

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે એલ.સી.બી. સ્ટાફે , કાનપર રોડ, શક્તિ પ્લોટમાં આવેલ ભરત મનજીભાઇ પરમારનાં રહેણાંક મકાનમાં પ્રભાત જયતાભાઇ ડાંગર તથા મહેશ પ્રભાતભાઇ રાઠોડ મારફતે બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી પૈસા પાના વતી તીનપત્તીનો નસીબ આધારિત હારજીતનો જુગાર રમાડતા હોય જુગારનો અખાડો પકડી પાડી જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂ.૩,૫૦,૦૦૦/- તથા ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- તથા નવ મોબાઇલ ફોન કિ.રૂ. ૨૯,૫૦૦/- તથા બે ફોર વ્હીલ વાહન કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- સાથે મળી કુલ કિ.રૂ.૧૦,૭૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી.

પકડાયેલા આરોપીઓ ભરત મનજીભાઇ પરમાર ઉ.વ. ૪૬ , મહેશ પ્રભાતભાઇ રાઠોડ ઉ.વ. ૩૯, હરેશ પ્રભાતભાઇ રાઠોડ, સરફરાજ અબ્દુલભાઇ દલ ઉ.વ. ૨૯ રહે. વીજપડી ગામ, ચીખલી રોડ, વી.ડી.નગદીયા હાઇસ્કુલની બાજુમાં ભાડેથી તા. સાવરકુંડલા જી.અમરેલી, જયેશભાઇ બાલાભાઇ ચૌહાણ ઉ.વ. ૩૦ રહે- જેસર, બસ સ્ટેશન પાસે, જોગી શેરી તા. જેસર તેમજ વિરાજ ઉર્ફે ટેગો કિશોરભાઇ ચાવડા ઉ.વ. ૩૧ રહે- લાઠી, દરબારી ચોક, સ્વેતા પાટી હાલ- જસદણ, ખાનપર ચોકડી, ધરતી હાઇટ્સ બ્લોક નં. ૪૦૧, વિક્રમ કાળુભાઇ ચાવડા ઉ.વ. ૩૩ રહે- કુંકાવાવ ધનશ્યામનગર તા. વડીયા જી.અમરેલી, સંજયભાઇ નગીનભાઇ જીંજુવાડીયા ઉ.વ. ૫૧ રહે- અમરેલી, લાઠી રોડ, ગોકુલધામ સોસાયટી શેરી નં.ર જી.અમરેલી, રાજેશ અરજણભાઇ ગરણીયા ઉ.વ. ૪૭ રહે. વીંજીવડ ગામ, ગોંદરામા તા. ગોંડલ, વેલજી આતુભાઇ મેવાડા જાતે- ભરવાડ ઉ.વ ૩૯ રહે- ગારીયાધાર, વીરડી રોડ, શક્તિ પ્લોટ તા. ગારીયાધાર જી.ભાવનગર વાળાઓ ને ઝડપી લીધા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow